ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના જમ્મુ-કાશ્મીર પ્રવાસે, જાણો આખુ શિડ્યુલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીર પ્રવાસે છે.
શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીર પ્રવાસે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અમિત શાહની આ મુલાકાત ઘણી મહત્વની છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ કાશ્મીરમાં બે રેલીઓને સંબોધિત કરવાના છે. તેઓ સોમવારે મોડી રાતે જમ્મુ પહોંચ્યા. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ, 'જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસ પર આજે જમ્મુ પહોંચ્યો છુ. વિવિધ કાર્યક્રમોના માધ્યમથી જમ્મુ-કાશ્મીરની જનતા સાથે વાત કરવા માટે ઉત્સુક છુ.'

અમિત શાહે પોતાના અન્ય એક ટ્વિમાં જમ્મુમાં ગુર્જર, બકરવાલ તેમજ પહાડી સમાજ અને શિખ સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાતનો ફોટો શેર કર્યો. અમિત શાહ કેન્દ્રશાસિત પ્રદેશ(યુટી)માં બે રેલીઓને સંબોધિત કરવાના છે. બીજા એક ટ્વિમાં અમિત શાહે કહ્યુ, 'પીએમ નરેન્દ્ર મોદીજીએ જમ્મુ-કાશ્મીરને ભારતનુ અભિન્ન અંગ બનાવવામાં મહારાજા હરિસિંહજીના યોગદાનને નમન કરીને તેમની જયંતિ પર રાજકીય રજા જાહેર કરી છે. જમ્મુમાં ડોગરા સમાજના પ્રતિનિધિઓને ભેટ આપીને આ નિર્ણય પર મોદીજીનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો છે.'
તમને જણાવી દઈએ કે હાલમાં જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીને સુધારવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં 20-25 લાખ નવા મતદારો ઉમેરાય તેવી સંભાવના છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા 25 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સંભાવના છે. આને જોતા અમિત શાહની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. વળી રાજ્યની સુરક્ષાની સ્થિતિના સંદર્ભમાં પણ આ મુલાકાત ખાસ મનાઈ રહી છે. તેમની મુલાકાત પહેલા રાજ્યમાં એક પછી એક હુમલાને જોતા સુરક્ષા સ્થિતિની સમીક્ષા વધુ મહત્વની બની ગઈ છે. હાલમાં જ જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પણ ખુલાસો કર્યો હતો કે ઉધમપુરમાં બ્લાસ્ટનો હેતુ હાઈપ્રોફાઈલ નેતાને નિશાન બનાવવાનો હતો.
અમિત શાહનુ આખુ શિડ્યુલ
- રિપોર્ટ મુજબ અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં બે રેલીઓને સંબોધિત કરવાના છે. આજે મંગળવારે તેઓ જમ્મુના રાજૌરી જિલ્લામાં રેલી કરશે. સમાચાર મુજબ અમિત શાહ આજે માતા વૈષ્ણોદેવીના દર્શન પણ કરી શકે છે.
- અમિત શાહની બીજી રેલી બુધવારે ઉત્તરી કાશ્મીરના બારામૂલામાં થશે. આ બંને રેલીઓ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
- જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતાઓએ કહ્યુ કે અમિત શાહ પ્રવાસ દરમિયાન પહાડી સમુદાય માટે અનુસૂચિત જનજાતિ(એસટી)ના દરજ્જાના મુદ્દા પર પણ ઘોષણા કરી શકે છે.
અનુચ્છેદ 370ને દૂર કરવા અને તત્કાલીન રાજ્યના વિભાજન બાદ અમિત શાહની જમ્મુની આ પહેલી યાત્રા છે. વળી, કાશ્મીરનો બીજો પ્રવાસ છે. જમ્મુ-કાશ્મીર ભાજપ પદાધિકારીઓના જણાવ્યા મુજબ ગૃહમંત્રી અમિત શાહની યાત્રા દરમિયાન પહાડી સમુદાય માટે એસટીના દરજ્જાનો મુદ્દો ઉઠાવવાની અપેક્ષા છે. આ પહેલા, જમ્મુ-કાશ્મીરમાં ભાજપના પ્રવકતા અલ્તાફ ઠાકુરે સંકેત આપ્યા હતા કે અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન આ મુદ્દાનો ઉલ્લેખ કરશે. તેમણે ગયા સપ્તાહે કહ્યુ હતુ, 'અમિત શાહ પોતાના યુટી પ્રવાસ દરમિયાન પહાડી સમુદાયના એસટીના દરજ્જા વિશે એક મહત્વપૂર્ણ ઘોષણા કરી શકે છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
