હિઝબુલઃ ‘અમરનાથ યાત્રીઓ અમારા મહેમાન, નહિ કરીએ હુમલા'
હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ રિયાઝ નાઈકૂએ કહ્યુ છે કે અમરનાથ યાત્રાએ આવનારા તીર્થયાત્રીઓ તેમના મહેમાન છે.
હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ રિયાઝ નાઈકૂએ કહ્યુ છે કે અમરનાથ યાત્રાએ આવનારા તીર્થયાત્રીઓ તેમના મહેમાન છે. રિયાઝે એક ઓડિયો મેસેજ જારી કરીને આ વાત કહી છે. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. યાત્રા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે અમરનાથ યાત્રીઓને આતંકી હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં આઠ યાત્રીઓના મોત નીપજ્યા હતા.

આતંકીઓએ ક્યારેય નથી બનાવ્યા તીર્થયાત્રીઓને નિશાન
નાઈકૂએ કહ્યુ કે હિઝબુલનો અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવાનો કોઈ પ્લાન નથી. તેણે કહ્યુ કે અમે ક્યારેય યાત્રીઓ પર હુમલા નહિ કરીએ કારણકે તે અહીં અમારા મહેમાન છે અને અહીં ધાર્મિક કારણોથી આવે છે. નાઈકૂની માનીએ તો આતંકીઓએ ક્યારેય અમરનાથ યાત્રીઓ પર હુમલા નથી કર્યા. આતંકીઓની યાત્રીઓ સાથે કોઈ દુશ્મની નથી અને તે તેમની સાથે કોઈ યુધ્ધ લડવા નથી ઈચ્છતા.

સુરક્ષા વિના આવે યાત્રીઓ
રિયાઝ નાઈકૂએ કહ્યુ કે અમે તેમની સામે લડાઈ લડી રહ્યા છે જે કાશ્મીરના લોકોનો અવાજ દબાવી રહ્યા છે. વળી, નાઈકૂએ પોલિસના એ દાવાને પણ ફગાવી દીધો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આતંકીઓએ અમરનાથ તીર્થયાત્રીઓને નિશાન બનાવવાની યોજના બનાવી છે. નાઈકૂએ કહ્યુ કે અમે આ પહેલા પણ ક્યારેય યાત્રીઓને નિશાન નથી બનાવ્યા. નાઈકૂએ કહ્યુ કે યાત્રી અહીં સુરક્ષા વગર આવે છે. તે અમારા મહેમાન છે અને તેમણે ડરવાની જરૂર નથી.

ગયા વર્ષે થયો હતો આતંકી હુમલો
સુરક્ષા એજન્સીઓ તરફથી દર વર્ષે થતી અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગયા વર્ષે યાત્રા પર થયેલા આતંકી હુમલામાં આઠ લોકોના મોત નીપજ્યા હતા. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એન એન વોહરાને જાણકારી આપવામાં આવી છે કે આ વર્ષે બે લાખથી વધુ યાત્રીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. વોહરા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (એસએએસબી) ના ચેરમેન પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
