26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસનો ઈતિહાસ, જાણો અગાઉ કયા રૂપમાં મનાવાતો
26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસનો ઈતિહાસ, જાણો અગાઉ કયા રૂપમાં મનાવાતો
આજે 26મી જાન્યુઆરીએ દેશભરમાં 72મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે વર્ષ 1950ના રોજ ભારત સરકાર અધિનિયમ (એક્ટ) (1935) હટાવી ભારતનું સંવિધાન લાગૂ કરવામાં આવ્યું હતું. જાણીને તમે ચકિત થશો કે 26 જાન્યુઆરીએ મનાવાતાો ગણતંત્ર દિવસ 'સ્વતંત્રતા દિવસ'ના રૂપમાં ઉજવવામાં આવતો હતો. આવો જાણીએ આખી કહાની...

ગણતંત્ર દિવસનો ઈતિહાસ
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ ભલે આઝાદી મળી હોય પરંતુ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત પૂર્ણ ગણરાજ્ય બન્યું. આ દિવસને આખું ભારત ગણતંત્ર દિવસના રૂપમાં મનાવે છે. સંવિધાન 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયું હતું પરંતુ બે મહિના ઈંતેજાર કર્યા બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ તેને લાગૂ કરવમાં આવ્યું.

પૂર્ણ સ્વરાજનું એલાન
સંવિધાન લાગૂ કરવા માટે 26 જાન્યુઆરીની તારીખ એટલા માટે પસંદ કરવામાં આવી કેમ કે 1930માં 26 જાન્યુઆરીએ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના નેતૃત્વમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે અંગ્રેજી હકુમત વિરુદ્ધ પૂર્ણ સ્વરાજનું એલાન કર્યું હતું. ભારતના ગણતંત્રની યાત્રા કેટલાય વર્ષ જૂની છે, જે 1930માં શરૂ થઈ હતી. જે બાદ વર્ષ 1930થી 15 ઓગસ્ટ 1947 સુધી પૂર્ણ સ્વરાજ દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ જ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવતો હતો.

જ્યારે ગણતાંત્રિક દિવસનું એલાન થયું
ગણતંત્ર રાષ્ટ્ર વિશે 31 ડિસેમ્બર 1929ની રાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર સત્રમાં વિચાર કરવામાં આવ્યો હતો. જેના માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક પંડિત જવાહરલાલ નેહરૂની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભાલ લેનાર લોકોએ પહેલાં 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવવાની શપથ લીધી હતી, જેનાથી બ્રિટિશ રાજથી પૂર્ણ સ્વતંત્રતાના સપનાને સાકાર કરી શકાય.
જે બાદ લાહોર સત્રમાં નાગરિક અસહકાર ચળવળના આંદોલનની રૂપરેખા તૈયાર થઈ અને આ ફેસલો 26 જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજ દિવસના રૂપમાં ઉજવાશે. જ્યારે આ દિવસે ધ્વજ ફરકાવવામાં આવ્યો અને 26જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવવાની શપથ લેવામાં આવી હતી. આના માટે તમામ ક્રાંતિકારીઓ અને પાર્ટીઓએ એકજુટતા દેખાડી હતી.

ડૉ રાજેન્દ્ર પ્રસાદે ઘોષણા કરી
જ્યાં ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ ગયો હતો. રપંતુ જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય સંવિધાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે ભારતને પોતાની તાકાતનો અહેસાસ થયો. દેશનું સંવિધાન 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસમાં તૈયાર કરાયું હતું. જે બાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરીને દેશભરમાં ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવવાની ઘોષણા કરી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
