'દેશભક્ત હતો ગોડસે, દેશહિતમાં મહાત્મા ગાંધીને માર્યા'
નવી દિલ્હી, 19 ડિસેમ્બર: ધર્માંતરણ પર બબાલ હજી શાંત નથી થઇ, એવામાં અખિલ ભારતીય હિંદુ મહાસભાએ હવે નવા વિવાદને જન્મ આપ્યો છે. હિન્દુ મહાસભાની માંગ છે કે આખા દેશમાં ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેની મૂર્તિ લગાવવામાં આવે. મીડિયા સાથેની વાતચીતમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ મુન્ના શર્માએ જણાવ્યું છે કે તેઓ આ અંગે કેન્દ્ર સરકારને માંગ પત્ર મોકલી રહ્યા છે.
હિન્દુ મહાસભા અનુસાર ગોડસે એક દેશભક્ત હતો અને તેણે દેશહિતમાં ગાંધીની હત્યા કરી હતી. હિંદુ મહાસભાની માંગ છે કે મુસલમાનોના નામ પર બનેલા માર્ગોનું નામ બદલી દેવામાં આવે. મહાસભાએ જણાવ્યું કે હિંદુઓ પર અત્યાચાર કરનારા ઓરંગજેબના નામ પર માર્ગ છે જેને બદલવાની જરૂર છે.
ગોડસેએ 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીની હત્યા કરી હતી પરંતુ હિન્દુ મહાસભા તેને શહીદ માને છે. તેમનું માનવું છે કે ગોડસે દેશભક્ત હતો અને તેણે દેશહિતમાં પોતાનો જીવ આપ્યો. હિન્દુ મહાસભા અનુસાર જ્યારે ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ગોડસેને દેશભક્ત ગણાવ્યા ત્યારે તેમને આ વિચાર આવ્યો.

આ નિવેદન બાદ રાજકીય ગલિયારામાં વિવાદોનું વંટોળ ઊઠ્યું છે. બીએસપી સુપ્રીમો માયાવતીએ ભાજપ પર હુમલો કરતા જણાવ્યું કે આ સંગઠન ભાજપનું સહયોગી છે. ભાજપની જવાબદારી બને છે કે પોતાના સહયોગી સંગઠન પર પ્રતિબંધ લગાવે. નાથૂરામ ગોડસેની મૂર્તિ લગાવવી યોગ્ય નથી. એક બાજુ તો બીજેપી કહે છે કે તે ગાંધીના આદર્શો પર ચાલી રહી છે, પરંતુ બીજી તરફ તેઓ ગોડસેની પ્રતિમા લગાવવાની વાતો કરી રહ્યા છે.
જ્યારે ભાજપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે તમામ સંગઠન છે, બહાર શું બોલી રહ્યા છે, તેની જવાબદારી તો અમારી નથી. મહાત્મા ગાંધીનો હત્યારો દેશનો દુશ્મન છે. આપણે તેને મહિમામંડિત નહીં કરીએ. કાનૂની કાર્યવાહી થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
