લખનઉ હિંસાના આરોપીઓના પોસ્ટર હટાવવાનો હાઇકોર્ટે કર્યો આદેશ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં નાગરિકત્વ સુધારણા કાયદા વિરુદ્ધ થયેલા હિંસક વિરોધ અને સરકારી સંપત્તિના નુકસાન પછી યોગી સરકારે બદમાશોની ઓળખ કરી હતી. આ દુષ્કર્મ કરનારાઓને ચિહ્નિત કર્યા પછી, તેમના પોસ્ટરો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં નાગરિકત્વ સુધારણા કાયદા વિરુદ્ધ થયેલા હિંસક વિરોધ અને સરકારી સંપત્તિના નુકસાન પછી યોગી સરકારે બદમાશોની ઓળખ કરી હતી. આ દુષ્કર્મ કરનારાઓને ચિહ્નિત કર્યા પછી, તેમના પોસ્ટરો લખનઉના જુદા જુદા ચોક પર મૂકવામાં આવ્યા હતા. આ બાબતે અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારને આદેશ આપ્યો છે કે આ પોસ્ટરો હટાવવામાં આવે.

હાઇકોર્ટે આપ્યો આદેશ
તમને જણાવી દઈએ કે 19 ડિસેમ્બર, 2019 ના રોજ લખનૌમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) વિરુદ્ધ હિંસક પ્રદર્શન થયા હતા. સખત નારાજગી વ્યક્ત કરતાં, અલ્હાબાદ હાઈકોર્ટે હિંસક પ્રદર્શનમાં જાહેર સંપત્તિને નુકસાન કરનારા આરોપીઓના ફોટા અને હોર્ડિંગ્સને હટાવવાનો આદેશ આપ્યો છે. રવિવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે આજે આ મુદ્દે પોતાનો ચુકાદો આપતી વખતે આ પોસ્ટરોને હટાવવાનો નિર્દેશ આપ્યો છે.

150 લોકોની ઓળખ થઈ
નોંધપાત્ર વાત એ છે કે સીએએના વિરોધમાં ગયા વર્ષે 19 ડિસેમ્બરે લખનૌના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા ફેલાઈ હતી. આ દરમિયાન ઉપદ્રવીઓએ ખાનગી વાહનોને આગ ચાંપી દીધી હતી, જેમાં અનેક જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. રાજ્ય સરકારે કહ્યું હતું કે ઉપદ્રવીઓએ કરેલ નુકશાનનું વળતર મળવું જોઈએ. આ પછી પોલીસે ફોટો-વીડિયોના આધારે 150 થી વધુ લોકોને નોટિસ મોકલી હતી. તપાસ બાદ મળેલા પુરાવાના આધારે વહીવટ દ્વારા 57 લોકોને જાહેર સંપત્તિને નુકસાન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

નુકસાનની ભરપાઇ માટે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા
લખનઉમાં ગત ગુરુવારે 57 લોકોનાં નામ, ફોટોગ્રાફ્સ અને સરનામાંવાળા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. તેમાં ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી એસઆર દારાપુરી અને સામાજિક કાર્યકર અને અભિનેત્રી સદાફ ઝફર પણ હતા. વહીવટી તંત્ર અને પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકો ગયા વર્ષે નાગરિકતા સુધારો કાયદા સામે હિંસક પ્રદર્શનમાં સામેલ થયા હતા અને પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિને થતાં નુકસાનની ભરપાઇ કરવા માટે આ લોકોને હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કોરોના વાયરસના કારણે પીએમ મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પણ રદ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
