પીરિયડ્ઝ નહિ પરંતુ આ હતુ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ?
મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ પીરિયડ્ઝ નહિ પરંતુ અયપ્પા સ્વામી પોતે છે.
હાલમાં સબરીમાલા મંદિર વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જ્યાં એક તરફ કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે ઉભી છે ત્યાં બીજી તરફ મોટી સંખ્યામાં સંગઠન અને લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. સબરીમાલા મંદિરમાં રજસ્વલા છોકરીઓ અને મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલિસ દ્વારા બળ પ્રયોગ કરાયા બાદ મંદિર જવાના મુખ્ય રસ્તા નિલક્કલમાં બુધવારની સવારે વાતાવરણ તણાવપૂર્ણ થઈ ગયુ છે. પોલિસે આ મામલે અત્યાર સુધી 50 લોકોની ધરપકડ કરી છે. જેમાં ત્રાવણકોર દેવાસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ પણ શામેલ છે.

વિરોધનું શું છે કારણ?
પરંપરા અનુસાર લોકો આનું કારણ મહિલાઓના પીરિયડ્ઝ એટલે કે માસિક ધર્મ જણાવે છે કારણકે મંદિરમાં પ્રવેશથી 40 દિવસ પહેલા દરેક વ્યક્તિને તમામ રીતે પોતાને પવિત્ર રાખવાના હોય છે અને મંદિર બોર્ડ અનુસાર પીરિયડ્ઝ મહિલાઓને અપવિત્ર કરી દે છે. એવામાં સતત 40 દિવસ પોતાને પવિત્ર રાખવા સંભવ નથી.

પરંતુ પીરિયડ્ઝ જ કારણ નથી
પરંતુ ફર્સ્ટપોસ્ટની વેબસાઈટ મુજબ મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ પીરિયડ્ઝ નહિ પરંતુ અયપ્પા સ્વામી પોતે છે કારણકે અયપ્પા અવિવાહિત છે અને તે પોતાના ભક્તોની પ્રાર્થનાઓ પર પૂરુ ધ્યાન આપવા ઈચ્છે છે. એટલા માટે મહિલાઓને અહીં આવવાથી રોકવામાં આવી હતી. તેમના પીરિયડ્ઝ સાથે લેવા-દેવા નથી પરંતુ બાદમાં ધર્મશાસ્ત્રીઓએ પોતાના નિયમ બનાવી લીધા.

સબરીમાલા મંદિરના કપાટ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે સાંજે 5 વાગે સબરીમાલા મંદિરના કપાટ ખુલવાના છે જ્યાં બધી મહિલાઓ અને યુવતીઓ પ્રવેશ કરી શકશે. મંદિર સાથે જોડાયેલા લોકો અને સ્વામી અયપ્પાના અનુયાયી સુપ્રીમ કોર્ટના નિર્ણયને તેમની આસ્થાની વિરુદ્ધ ગણાવી રહ્યા છે અને આના કારણે વિરોધ કરી રહ્યા છે. અયપ્પા સ્વામી મંદિરના દરવાજા પહેલી વાર આજે સાંજે ખુલશે અને 5 દિવસની માસિક પૂજા બાદ તે 22 ઓક્ટોબરે ફરીથી બંધ થઈ જશે.

શું હતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?
સુપ્રીમ કોર્ટે 10 થી 50 વર્ષની મહિલાઓના મંદિરમાં પ્રવેશને રોકવાની સદીઓ જૂની પરંપરાને ખોટી ગણાવતા તેને ખતમ કરાવી દીધી હતી અને બધી ઉંમરની મહિલાઓને પ્રવેશ કરવાની પરવાનગી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
