હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, પહાડ પર ફસાયેલા 3 ટ્રેકર્સના મોત, 10ને બચાવાયા
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલા બર્ફીલા તોફાનમાં પર્વતારોહણ કરનારા લોકો ફસાઈ ગયા છે.
કિન્નોરઃ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલા બર્ફીલા તોફાનમાં પર્વતારોહણ કરનારા લોકો ફસાઈ ગયા છે. આ લોકોમાંથી 10ના જીવ બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ત્રણ અન્યના મોત થઈ ગયા છે. માહિતી મુજબ જીવ ગુમાવનાર ત્રણ ટ્રેકર્સ મહારાષ્ટ્રના રહેવાસી છે. સૂચના મળતા રાહત તેમજ બચાવ દળ ઘટના સ્થળે પહોંચ્યુ જ્યાં બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. નજરે જોનારા લોકોએ જણાવ્યુ કે વિસ્તારમાં બરફ પડી રહ્યો છે અને ટ્રેકર્સના જીવ જોખમમાં છે. પહાડી વિસ્તારની વાત કરીએ તો હિમવર્ષા વચ્ચે ચાર ધામ યાત્રા હજુ પણ ચાલુ છે. સોમવારે પહાડી રાજ્યોના મોટાભાગના હિસ્સામાં હિમવર્ષા સાથે વરસાદ પણ જોવા મળ્યો. ખરાબ હવામાન વચ્ચે ઉત્તરાખંડ પ્રશાસને કહ્યુ છે કે ચાર ધામ યાત્રા હજુ પણ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે ચાર ધામમાંથી એક બદ્રીનાથ ધામના દર્શન માટે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. બદ્રીનાથ સાથે કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના મંદિરો પર પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ત્રણે તીર્થ સ્થળ બદ્રીનાથ ધામમાં જ શામેલ છે. કેદારનાથ ધામથી અમુક ફોટા સામે આવ્યા છે જેમાં અમુક લોકો રસ્તા પરથી બરફ હટાવતા દેખાઈ રહ્યા છે જેથી મુસાફરો માટે રસ્તો સાફ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ઉત્તરાખંડ રાજ્ય સરકારે ગયા સપ્તાહે ચાર ધામ યાત્રાને રોકવી પડી હતી કારણકે ઉત્તરાખંડમાં અચાનક ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાઓમાં ઘણા પર્યટકો સહિત કમસે કમ 75 લોકોના મોત થઈ ગયા હતા. આ ઉપરાંત હિમવર્ષમાં ફસાવાથી 10 ટ્રેકર્સ સહિત કમસે કમ 13 લોકોના મોત પણ થઈ ગયા હતા. હિમવર્ષા અને વરસાદના કારણે કેદારનાથ ધામ માટે હેલીકૉપ્ટર સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. હેલીપેડ બરફથી ઢંકાઈ જવાના કારણે હેલીકૉપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ હતી.
તમને જણાવી દઈએ કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે તીર્થયાત્રા 18 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. નૈનીતાલ હાઈકોર્ટે સંપૂર્ણપણે વેક્સીનેટેડ થઈ ચૂકેલા યાત્રીઓ માટે જ યાત્રાની મંજૂરી આપી હતી. આ સાથે જ કોરોના વાયરસ માટેનો આરટી-પીસીઆર રિપોર્ટ પણ સાથે લાવવાના આદેશ આપ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
