સીએમ કુમારસ્વામીઃ “અમે મોદી-શાહના અશ્વમેઘ ઘોડાને બાંધી દીધો”
વિપક્ષી નેતાઓની આટલી મોટી સંખ્યામાં હાજરી બાદ કુમારસ્વામીએ કહ્યુ કે ભાજપે 12 વર્ષ સુધી મારો ઉપયોગ કર્યો.
કર્ણાટકમાં ત્રીજા નંબરે રહ્યા બાદ પણ જે રીતે જેડીએસ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવામાં સફળ રહી અને એચડી કુમારસ્વામી પ્રદેશના મુખ્યમંત્રી બન્યા તે બાદ તે ઘણા ઉત્સાહિત છે. કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં વિપક્ષી દળોના નેતા એકસાથે પહેલી વાર મંચ પર દેખાયા. વિપક્ષી નેતાઓની આટલી મોટી સંખ્યામાં હાજરી બાદ કુમારસ્વામીએ કહ્યુ કે ભાજપે 12 વર્ષ સુધી મારો ઉપયોગ કર્યો.

અમે મોદી-શાહના અશ્વમેઘ ઘોડાને બાંધી દીધો
કુમારસ્વામીએ શપથગ્રહણ બાદ કહ્યુ કે મે ઉત્તરપ્રદેશની ચૂંટણી બાદ કહ્યુ હતુ કે મારુ લક્ષ્ય છે નરેન્દ્ર મોદી અને અમિત શાહના અશ્વમેઘ ઘોડાને બાંધવો. કોંગ્રેસ અને જેડીએસ એ તેને પકડી લીધો છે અને બાંધી દીધો છે. હવે આ બેજાન અશ્વમેઘ જલ્દી મોદી પાસે જઈ શકે છે. તમને જણાવી દઈએ કે પ્રાચીન પરંપરા અનુસાર રાજા અશ્વમેઘ ઘોડાને છોડતા જેને કોઈ રોકી શકતુ નહિ અને જે પણ રોકે તેને રાજા સાથે યુદ્ધ કરવુ પડતુ.

2019 મોટી ચુનોતી હશે
શપથ ગ્રહણમાં જે રીતે મોટી સંખ્યામાં વિપક્ષી દળોના નેતા પહોંચ્યા તેના પર કુમારસ્વામીએ કહ્યુ કે આ ઐતિહાસિક છે કે એકસાથે આટલા નેતા મુખ્યમંત્રીના શપથગ્રહણમાં પહોંચ્યા છે. આ નેતા મને સમર્થન આપવા નથી આવ્યા પરંતુ આ લોકો એ સંદેશ આપવા આવ્યા છે કે 2019માં ચુનોતી મોટી હશે. તેમનું માનવુ છે કે દેશને બચાવવા માટે 2019માં કોંગ્રેસ સાથે એકજૂટ થવાની જરૂર છે. જે રીતે આટલા મોટા સ્તર પર વિપક્ષ નેતા એકજૂટ થયા છે તે બાદ માનવામાં આવી રહ્યુ છે કે સ્થાનિક નેતા મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને માયાવતી કોંગ્રેસ સાથે એકજૂટ થઈ શકે છે.

મમતા બેનર્જી સાથે થઈ વાત
કુમારસ્વામીએ કહ્યુ કે મંગળવારે તેમની મમતા બેનર્જી સાથે વાત થઈ હતી કે જે સ્થાનિક રીતે એકજૂટ થવાની વાત કરતા રહ્યા છે. તેમણે જેડીએસના મુખિયા એચડી દેવગૌડાને ભાજપ સામે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા પર અભિનંદન આપ્યા. ભવિષ્યની રાજનીતિમાં અમે કેવી રીતે પોતાનુ યોગદાન આપી શકીએ છીએ તે અંગે તેમણે સૂચનો કર્યા. તમને જણાવી દઈએ કે યેદુરપ્પાના રાજીનામા બાદ જેડીએસ-કોંગ્રેસની સરકારે બુધવારે શપથ ગ્રહણ કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
