હાથરસ કેસમાં નવો ખુલાસો, સતત ટચમાં હતા પીડિતા અને આરોપી, 104 વાર થઈ હતી વાત
યુપી પોલિસની તપાસમાં જાણવા મળ્યુ છે કે 19 વર્ષીય પીડિતા કેસના મુખ્ય આરોપી સાથે સતત સંપર્કમાં હતી.
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસસમાં ગઈ 14 સપ્ટેમ્બરે થયેલ 19 વર્ષીય દલિત યુવતીના ગેંગરેપ અને હત્યાએ આખા દેશને હચમચાવી દીધો છે. કેસની તપાસ એસઆઈટી કરી રહી છે પરંતુ પરિવાર તરફથી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. યુપી પોલિસની તપાસમાં જાણવા મળ્યુ છે કે 19 વર્ષીય પીડિતા કેસના મુખ્ય આરોપી સાથે સતત સંપર્કમાં હતી. સપ્ટેમ્બરમાં દલિત મહિલા પર કથિત ગેંગરેપ અને જાનલેવા હુમલાના આ કેસમાં એ ગામનો સંદીપ સિંહ મુખ્ય આરોપી છે.

આરોપી અને પીડિત પરિવાર વચ્ચે 104 કૉલ
પોલિસના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યુ છે કે સંદીપને પીડિતાના ભાઈના નામથી એક નંબરથી નિયમિત કૉલ આવ્યા. પીડિતાના ભાઈના નંબર અને સંદીપના નંબર વચ્ચે 13 ઓક્ટોબર, 2019થી ટેલીફોનિક વાતચીત શરૂ થઈ. મોટાભાગના કૉલ ચંદપા ક્ષેત્રમાં સ્થિત અને સેલ ટૉવરોથી કરવામાં આવ્યા હતા જે પીડિતાના ગામ બુલગઢીથી 2 કિમી દૂર હતા. પોલિસના જણાવ્યા મુજબ પીડિત પરિવાર અને સંદીપ વચ્ચે ફોન પર વાતચીતનો સિલસિલો ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયો. પીડિત પરિવાર અને આરોપી વચ્ચે 104 વાર ફોન પર વાતચીત થઈ.

62 કૉલ પીડિત પરિવાર તરફથી જ્યારે 42 કૉલ આરોપી સંદીપ તરફથી
પોલિસને જાણવા મળ્યુ કે આમાંથી 62 કૉલ પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા છે જ્યારે 42 કૉલ આરોપી સંદીપ તરફથી કરવામાં આવ્યા હતા. યુપી પોલિસે પોતાની તપાસમાં જોયુ કે પીડિત પરિવાર અને આરોપી સંદીપ વચ્ચે નિયમિત સમયાંતરે વાત થઈ. આરોપી સંદીપને કૉલ પીડિતાના ભાઈ તરફથી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસ પણ અંતિમ દોરમાં છે. એસઆઈટી પોતાનો રિપોર્ટ બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી શકે છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાનીમાં ડીઆઈજી ચંદ્રપ્રકાશ અને એસપી પૂનમે કેસની તપાસ કરી છે.

જાણો હાથરસની ઘટના વિશે
હાથરસની ઘટના 14 સપ્ટેમ્બરે થઈ હતી. પીડિતા ખેતરમાં કામ કરી હતી ત્યારે આરોપી કથિત રીતે તેેને ખેંચીને બાજુના ખેતરમાં લઈ ગયો અને તેના પર હુમલો કરી દીધો. પરિવારનો આરોપ છે કે પીડિતા સાથે ગેંગરેપ કર્યા બાદ બેરહેમીથી તેને મારી દેવામાં આવી હતી. ઘટના બાદ ગંભીર ઈજા સાથે તેને અલીગઢની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. પીડિતાના ગરદન અને મણકાનુ હાડકુ તૂટી ગયુ હતુ. ત્યારબાદ તેને દિલ્લી શિફ્ટ કરવામાં આવી જ્યાં તેણે 29 સપ્ટેમ્બરે દમ તોડી દીધો. યુપી પોલિસ રાતે મૃતકને શબને વિવાદાસ્પત રીતે અંતિમ સંસ્કાર કરી દીધા. પરિવારનુ કહેવુ છે કે અંતિમ સંસ્કાર પહેલા પોલિસે તેમની સંમતિ લીધી નહોતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
