Haryana Opinion poll : હરિયાણામાં બીજેપીની ઘરવાપસી નક્કી? જાણો હાલની સ્થિતીએ કઈ પાર્ટીને કેટલી સીટો?
ઈલેક્શન કમિશને જમ્મુ કાશ્મીર સાથે સાથે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. હરિયાણામાં હાલ બીજેપીની સરકાર છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ સર્વે પણ સામે આવી રહ્યાં છે. ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન માટે 1 ઓક્ટોબર અને મત ગણતરી માટે 4 ઓક્ટોબરની જાહેરાત કરી છે.

મેટ્રિક્યુલેશન સર્વે એજન્સીના લેટેસ્ટ સર્વે અનુસાર, બીજેપી, કોંગ્રેસ, જેજેપી, આમ આદમી પાર્ટી અને આઈએનએલડીપી સહિત અન્ય કોઈ પાર્ટીને પોતાના દમ પર બહુમતી મળતી દેખાઈ નથી રહી.
હરિયાણાની તમામ 90 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. 17 ઓગસ્ટ 2024 ની સ્થિતીએ સર્વેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે હરિયાણાની મોટાભાગની સીટો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થઈ શકે છે. જો કે બંને પક્ષો 46ના બહુમતીના જાદુઈ આંકડાથી દૂર રહેશે.
મેટ્રિક સર્વેક્ષણ એજન્સીના ઓપિનિયન પોલ અનુસાર, ભાજપ ગઠબંધનને 37-42, કોંગ્રેસને 33-38, જેજેપીને 3-8 અને અન્યને 7-12 બેઠકો મળી શકે છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતની ટકાવારીની વાત કરીએ તો ભાજપને 35.2 ટકા, કોંગ્રેસને 31.6 ટકા, જેજેપીને 12.4 ટકા અને અન્યને 20.8 ટકા વોટ મળી શકે છે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિવીર યોજનાની અસર હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પર જોવા મળી શકે છે. અહીં અગ્નીવીરને લઈને મોટો વિરોધ છે. આ સિવાય ખેડૂતો બીજેપીને મત આપે તેવી સંભાવના ઓછી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
