Haryana Election Results 2024 : હરિયાણા ચૂંટણી પારખવામાં ક્યાં ભુલ થઈ? જાણો શું કહ્યું યોગેન્દ્ર યાદવે?
Yogendra Yadav on Haryana Election Result : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ અને ધારણાઓથી વિપરીત બીજેપીની જીત થઈ છે.
આ જીત બાદ લોકસભા ચૂંટણીને લઈને સટીક આગાહી કરનારા યોગેન્દ્ર યાદવની આગાહી ખોટી સાબિત થઈ છે. યોગેન્દ્ર યાદવે ખુદ આ મુદ્દે વાત કરી છે.

યોગેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને હરિયાણા ચૂંટણી પરિણામો પર ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, આજના ચૂંટણી પરિણામો, ખાસ કરીને હરિયાણાના પરિણામો જોઈને હું ચોંકી ગયો છું. આજે સાંજે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ જોઈને હું પરેશાન છું. મને ચારેબાજુથી મિત્રોના ફોન અને મેસેજ આવી રહ્યા છે કે શું થયું?
તેમણે કહ્યું કે, હું નથી જાણતો કે છેલ્લા એક મહિનાથી શું થયું છે કે હું સીટોની આગાહી કરીશ નહીં, પરંતુ મેં ઘણી વખત કહ્યું કે કોંગ્રેસ સ્પષ્ટ રીતે આગળ છે અને શરૂઆતમાં તેની સરકાર બનશે પરંતુ અમે ચર્ચા કરી રહ્યા હતા કે કોંગ્રેસ ક્યાં સુધી જશે?
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, અમે ગ્રાઉન્ડ પર ફર્યા, અમારા સાથીદારો મેદાન પર હતા, સામાન્ય લોકો સાથે વાત કરી અને તેના આધારે ખબર પડી કે કોંગ્રેસને બહુમતી મળશે. તમામ રિપોર્ટરો, એન્કર અને ચેનલો દરેકને કોંગ્રેસને બહુમતી મળશે એવું કહેતા હતા. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જંગી બહુમતીનો દાવો કરી રહી હતી.
તેમણે કહ્યું કે, કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી અને કેટલાક ગંભીર આરોપો લગાવ્યા. જયરામ રમેશ અને પવન ખેડાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે આ પરિણામ સ્વીકારી શકતા નથી. તેમણે કેટલાક એસેમ્બલીના પુરાવા પણ આપ્યા હતા. મેં પોતે એક વિધાનસભાના પુરાવા જોયા છે, આ બેઠક મહેન્દ્રગઢ જિલ્લાની નારનોંદ બેઠક છે. આવી ઘણી બેઠકો છે જેના માટે કોંગ્રેસે ટૂંક સમયમાં પુરાવા આપવાનો દાવો કર્યો છે. આ આરોપોએ ઘણાને ચોંકાવી દીધા છે.
हरियाणा चुनाव का अप्रत्याशित परिणाम देखने के बाद से दोस्तों के फ़ोन आ रहे हैं: ‘क्या हुआ, इसे कैसे देखा जाए, आगे का रास्ता क्या है?’
— Yogendra Yadav (@_YogendraYadav) October 8, 2024
मेरा जवाब: pic.twitter.com/cmIfpiKsqU
જણાવી દઈએ કે, કોંગ્રેસનો આરોપ છે કે મતગણતરી દરમિયાન કેટલાક ઈવીએમ મળી આવ્યા હતા જે ખોલ્યા બાદ પણ 99 ટકા બેટરી હતી, જ્યાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું હતું, જ્યારે ઓછી બેટરી ટકાવાળી બેઠકો પર કોંગ્રેસનું પ્રદર્શન સારું હતું. કોંગ્રેસે આના પુરાવા આપવા જણાવ્યું છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, હું આ આરોપોની પુષ્ટિ કરતો નથી, પરંતુ ચૂંટણી પંચે આ તમામની તપાસ કરવી જોઈએ. મહત્વનું છે કે ચૂંટણી નિષ્પક્ષ હોય અને પંચે તેની ખાતરી કરવી જોઈએ. ચૂંટણી પંચને મારી એક જ વિનંતી છે કે ચૂંટણી પંચે જનતા સમક્ષ સાચી હકીકતો રજૂ કરવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
