Haryana Assembly Election 2024: હરિયાણાથી અરવિંદ કેજરીવાલે ફૂંક્યું રણશિંગું, કહ્યું તો મને વોટ ના આપતા
Haryana Assembly Elections 2024: હરિયાણા, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં જમ્મુ કાશ્મીરમાં પહેલા તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરી મતદાતાઓને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ટૂંક સમય પહેલા જેલમાંથી છુટેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે. તેઓ હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરીને આમ આદમી પાર્ટી માટે મત માંગી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ પહેલીવાર ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા છે. અરવિંદ કેજરીવાલ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે જગાધરી, યમુનાનગરમાં રોડ શો યોજી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ જગાધરીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર આદર્શ પાલ માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. તેઓ રેલી અને રોડ શો કરીને જનતા પાસેથી સમર્થન માંગી રહ્યા છે.

આ રોડ શો પૂરો થતાંની સાથે જ અરવિંદ કેજરીવાલ જગાધરીમાં એક જનસભાને પણ સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જેલમાંથી મુક્ત થયા બાદ આ અરવિંદ કેજરીવાલનો પ્રથમ ચૂંટણી કાર્યક્રમ છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના રોડ શોની શરૂઆત જગધરી ઝંડા ચોકથી કરી હતી. આ રોડ શો ઈન્દ્રા કોલોની સુધી કરવામાં આવ્યો છે. કેજરીવાલ ઈન્દ્રા કોલોનીમાં જ જનતાને સંબોધન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં આમ આદમી પાર્ટી તમામ 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા ઈમોશનલ કાર્ડ રમવામાં આવી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલના જેલ જવાનો મુદ્દો ઉઠાવીને આમ આદમી પાર્ટી ઈમોશનલી મત મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હરિયાણામાં AAP વગર સરકાર બની શકે નહીં. જો હું ઈચ્છતો હોત તો જેલમાંથી છૂટ્યા બાદ પણ હું દિલ્હીનો મુખ્યમંત્રી બનીને રહી શક્યો હોત.
જો તમને લાગે કે, હું પ્રમાણિક છું, તો જ મને મત આપો. હવે હું દિલ્હીનો મુખ્યમંત્રી ત્યારે જ બનીશ, જ્યારે દિલ્હીની જનતા મને ફરીથી ચૂંટશે.
અરવિંદ કેજરીવાલના આ રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ મોટા ચહેરાઓ તેમની સાથે જોવા મળ્યા હતા. રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે સમર્થકોએ શંખ પણ વગાડ્યા હતા.
આ સાથે કેટલાક સમર્થકોએ રોડ શોમાં બેન્ડ સાથે ધુન પણ વગાડી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, અરવિંદ કેજરીવાલનું વતન હરિયાણામાં છે. તેમના વડવા હિસારના ખેડા ગામમાં વસવાટ કરતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
