નવો આઈટી કાયદો માત્ર સોશિયલ મીડિયાનો દૂરુપયોગ રોકવા માટે, યુઝર્સે ગભરાવાની જરૂર નથીઃ પ્રસાદ
કેન્દ્રીય સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ભારત સરકાર નાગરિકોની પ્રાઈવસીનુ પૂરુ સમ્માન કરે છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ભારત સરકાર નાગરિકોની પ્રાઈવસીનુ પૂરુ સમ્માન કરે છે, સરકારનો કોઈની પ્રાઈવસીમાં દખલ કરવાનો નથી. તેમણે કહ્યુ કે જે નવો આઈટી કાયદો કેન્દ્ર સરકાર લઈને આવી છે તે સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગને રોકવા માટે છે. એવામાં કોઈ નાગરિક એ ન સમજે કે સરકાર કોઈની પ્રાઈવસીમાં દખલ દઈ રહી છે. કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમોને યુઝર્સની પ્રાઈવસીમાં દખલ ગણાવીને વૉટ્સએપે દિલ્લી હાઈકોર્ટમાં અરજી આપી ત્યારબાદ રવિશંકર પ્રસાદ તરફથી આ સ્પષ્ટતા આપવામાં આવી છે.

રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે સરકાર લોકોની પ્રાઈવસીનુ પૂરેપુરુ સમ્માન કરે છે. સરકાર સવાલ પૂછવાના અધિકાર અને ટીકાનુ સ્વાગત કરે છે. એવામાં કોઈ પણ વૉટ્સએપ યુઝર્સે ડરવાની જરૂર નથી. નવા નિયમને સોશિયલ મીડિયાના દૂરુપયોગને રોકવા માટે બનાવવામાં આવ્યા છે. નિયમ માત્ર સોશિયલ મીડિયાના સામાન્ય યુઝર્સને ત્યારે સશક્ત બનાવે છે જ્યારે તે દુર્વ્યવહાર અને દુરુપયોગનો શિકાર થઈ જાય છે.
તેમણે કહ્યુ કે નવા નિયમ હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં ફરિયાદ નિવારણ અધિકારી, અનુપાલન અધિકારી અને નોડલ અધિકારી સ્થાપિત કરવાની જરૂર છે જેનાથી બધા સોશિયલ મીડિયા યુઝર્સને ફરિયાદ નિવારણ માટે એક મંચ મળી શકે. આમાં ક્યાંય પણ કોઈની પ્રાઈવસીને જોખમ નથી.
વૉટ્સએપે આપી છે હાઈકોર્ટમાં અરજી
મેસેજિંગ એપ વૉટ્સએપે ભારત સરકાર સામે દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છેે. આમાં આઈટીના નવા નિયમોને રોકવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ વૉટ્સએપને શેર કરાતા મેસેજના સોર્સને ટ્રેક કરવો જરૂરી રહેશે. વૉટ્સએપે સરકાર સામે અરજીમાં કહ્યુ છે કે ચેટ ટ્રેસ માટે કહેવુ એવુ છે કે જેવુ અમને કહેવામાં આવે કે તમને વૉટ્સએપ પર મોકલેલા દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ પોતાની પાસે રાખો. મૂળભૂત રીતે આ લોકોની પ્રાઈવસીના અધિકારને નબળો પાડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
