LPG સ્ટૉક કરવો, સ્કૂલો ખાલી કરાવવાના આદેશથી કાશ્મીરમાં ગભરાટઃ ઉમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે એલપીજી સ્ટૉક કરવા અને સ્કૂલોને ખાલી કરાવવા જેવા આદેશો પર સરકાર તરફથી સફાઈની જરૂર છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે એલપીજી સ્ટૉક કરવા અને સ્કૂલોને ખાલી કરાવવા જેવા આદેશો પર સરકાર તરફથી સફાઈની જરૂર છે. અબ્દુલ્લાએ કહ્યુ કે આ રીતના આદેશ ડરનો માહોલ પેદા કરે છે. લોકોમાં પોતાની સુરક્ષા માટે ગભરાટ પેદા થઈ રહ્યો છે કે છેવટે શું થવાનુ છે. ઉમરે પોતાના ટ્વિટમાં કહ્યુ કે સરકાર આ રીતના આદેશથી લોકોમાં ડર છે કે છેવટે શું થઈ રહ્યુ છે. સરકાર એક તરફ કહી રહી છે કે રસ્તો બંધ થઈ જવા અંગે આ આદેશ જારી કરવામાં આવ્યા છે પરંતુ સ્કૂલોને ખાલી કરાવવાનો નિર્ણય સમજની બહાર છે. ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે, સરકારે આ અંગે સ્પષ્ટ નિવેદન આપવુ જોઈએ કે છેવટે મુદ્દો શું છે.

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જી સી મૂર્મુએ 23 જૂને એક બેઠક કરી હતી. બેઠક બાદ આદેશમાં કહ્યુ છે કે કાશ્મીર ઘાટીાં એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સને ઓછામાં ઓછા બે મહિના માટે સિલિન્ડરનો સ્ટૉક રાખી લેવો જોઈએ. કહેવામાં આવ્યુ છે કે જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ ભૂસ્ખલનના કારણે ઘણીવાર બંધ થઈ જાય છે. એવામાં એલપીજીનો પૂરતો સ્ટૉક હોવો જોઈએ જે બે મહિના સુધી ચાલી શકે. જેથી સામાન્ય લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. બીજા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે કારગિલ પાસે ગાંદરબલ વિસ્તારમાં સુરક્ષાબળો માટે સ્કૂલની ઈમારતોને ખાલી કરાવવામાં આવે. ગાંદરબલ એસએસપીએ જિલ્લા પ્રશાસનને લખેલા એક પત્રમાં અર્ધસૈનિક બળોને રોકવા માટે આઈટીઆઈ, મધ્ય અને ઉચ્ચતર માધ્યમિકના ભવનો સહિત શૈક્ષણિક સંસ્થાઓના 16 ભવન ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો છે.
આ આદેશો બાદ ઘણા પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. આનુ એક મોટુ કારણ એ પણ છે કે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે અમુક સમયથી તણાવ છે. 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં કર્નલ સહિત 20 ભારતીય જવાન શહીદ થયા હતા અને 70થી વધુ ઘાયલ થયા હતા. સતત ચીન અને ભારત વચ્ચે તણાવ ઘટાડવા વિશે વાતચીત ચાલી રહી છે. જો કે તણાવ ઘટતો હજુ સુધી દેખાઈ નથી રહ્યો.
Government orders are creating panic in Kashmir & unfortunately after all the lies & false assurances last year even if/when the government explains these orders hardly any of us will take the assurances at face value. That said they still need to explain these orders. https://t.co/16mteocYAO
— Omar Abdullah (@OmarAbdullah) June 28, 2020
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
