તમિલનાડુનું રાજનૈતિક સંકટઃ હવે રાજ્યપાલ કરશે નિર્ણય
તમિલનાડુમાં ઉઠેલા રાજકારણીય સંકટમાં હવે રાજ્યપાલ સી. વિદ્યાસાગરના માથે નિર્ણય લેવાની જવાબદારી આવી પડી છે. તેઓ આજે ચેન્નાઇ પહોંચશે અને શશિકલા તથા અન્ય ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.
તમિલનાડુ માં રાજકારણનું વાતાવરણ ગરમાયું છે. એઆઇએડીએમકે નો વિવાદ વધતો જાય છે, જયલલિતાના નિધન બાદ જ પક્ષમાં ઘણા મતભેદો ઊભા થઇ ગયા હતા. હવે સત્તાનો સંગ્રામ ખુલીને સામે આવી રહ્યો છે. આ વિવાદ વચ્ચે અન્નામુદ્રકના અધ્યક્ષ શશિકલા ની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં 131 ધારાસભ્યો હાજર રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ખબર છે કે રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવ આજે ચેન્નાઇ પહોંચશે.

ચેન્નાઇમાં તેઓ શશિકલા અને અન્ય ધારાસભ્યો સાથે મુલાકાત કરશે અને આ રાજકારણીય વિવાદ પર પૂર્ણવિરામ લગાવવાનો પ્રયાસ કરશે. હવે પ્રશ્ન એ છે કે, મુખ્યમંત્રી પદનો કારભાર કોના હાથમાં આવશે? શશિકલા નટરાજન કે ઓ પન્નીરસેલ્વમ? આ નિર્ણય હવે રાજ્યપાલના હાથમાં છે. તેઓ પહેલાં જ પન્નીરસેલ્વમનું રાજીનામું સ્વીકારી ચૂક્યા છે અને હાલ તેમને અસ્થાયી મુખ્યમંત્રી તરીકે કામગીરી બજાવવાનો નિર્દેશ આપ્યો છે. આ લડાઇમાં છેલ્લે જીત એની થશે જેના પક્ષમાં વધુમાં વધુ ધારાસભ્યો ઊભા હશે. શશિકલા પહેલાં જ દાવો કરી ચૂક્યા છે કે, પક્ષના મોટાભાગના ધારાસભ્યો તેમની સાથે છે.
તો સામે ઓ.પન્નીરસેલ્વમ નું કહેવું છે કે, તેમણે શશિકલાના દબાણમાં રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેઓ અમ્માની સમાધિ પર ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, જયલલિતાની ઇચ્છા હતી કે તેઓ જ તમિલનાડુના મુખ્યમંત્રી બને. તેમણે કહ્યું કે, તેમની પાસે ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ યોગ્ય સમય આવતા સદનમાં બહુમત સાબિત કરશે. સામે શશિકલાએ સેલ્વમ પર વિપક્ષો સાથે મળી વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ તમામ વિવાદો વચ્ચે મુંબઇ સ્થિત રાજભવનમાંથી ખબર આવી છે કે, રાજ્યપાલ સી.વિદ્યાસાગર આ આખા મુદ્દા પર નજર કરવા આજે ચેન્નાઇ આવવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, તેમને માથે મહારાષ્ટ્રનો પણ ભાર છે. તમિલનાડુમાં સર્જાયેલા આ વિવાદમાં સી.વિદ્યાસાગર પર પણ આરોપ લગાવાયો હતો કે, તેઓ શશિકલાને શપથ લેવડાવવા માંગતા હોવાથી જ વિવાદથી દૂરી બનાવી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
