કોરોના વાયરસને ગંભીરતાથી નથી લઈ રહી સરકાર, બરબાદ થઈ જશે અર્થવ્યવસ્થાઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ માટે સરકાર પર નિશાન સાધ્યુ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ માટે સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ લોકો અને અર્થવ્યવસ્થા માટે ઘણો ગંભીર ખતરો છે. સરકાર આને બિલકુલ ગંભીરતાથી નથી લઈ રહી. સમયે પગલા લેવા ઘણા જરૂરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, કોરોના વાયરસ એક મોટી સમસ્યા છે, મુશ્કેલીને ઈગ્નોર કરવી આનો ઉપાય નથી. જો કડક પગલા ન ઉઠાવ્યા તો ભારતીય અર્થવ્યસ્થા બરબાદ થઈ જશે. તેમણે દાવો કરીને કહ્યુ કે સરકાર બેખબર પડી છે.

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે એ આરોપ લગાવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વાયરસની સમસ્યા અને અર્થવ્યવસ્થાની હાલત માટે સૂઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી વાયરસનના 75 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. આમાં 17 વિદેશી નાગરિક શામેલ છે. 16 દર્દી ઈટલી એક કેનેડાનો છે. જ્યારે કર્ણાટકના કુલબર્ગીમાં પહેલુ મોત થઈ ગયુ છે. આ કેસમાં કેરળના એ ત્રણ દર્દી પણ શામેલ છે જેમનો સફળ ઈલાજ થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યુ કે દેશમાં કુલ 14 નવા કેસની પુષ્ટિ થઈ છે જેમાં નવ મહારાષ્ટ્રમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય મુજબ સરકારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે હેલ્પલાઈન નંબર 011-23978046 શરૂ કર્યો છે. આ ઉપરાંત 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવી ચૂક્યો છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
