ગઢચિરોલી નક્સલી હુમલામાં 15 જવાન શહીદ, પીએમ મોદીએ શોક જતાવ્યો
ગઢચિરોલી નક્સલી હુમલામાં 15 જવાન શહીદ, પીએમ મોદીએ શોક જતાવ્યો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો જેમાં 15 જવાનો શહીદ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ સી60 કમાંડોની ટૂકડીને નિશાન બનાવી હતી. પાછલા બે વર્ષમાં આ સૌથી મોટો નક્સલી હુમલો માનવામાં આવી રહ્યો છે, જ્યારે પાછલી 24 કલાકમાં આ બીજો નક્સલી હુમલો છે. થોડા દિવસો પહેલા જ આ વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓ વધી છે. ગઢચિરૌલીમાં નક્સલી હુમલાની પીએમ મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને દેવેન્દ્ર ફડણવીસે નિંદા કરી છે.

અપરાધીઓને છોડવામાં નહિ આવેઃ પીએમ મોદી
પીએમ મોદીએ આ હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે તમામ બહાદુર જવાનોને સલામ કર્યું અને કહ્યું કે તેમની કુર્બાની ક્યારેય નહિ ભૂલી શકાય. પીએમ મોદીએ કહ્યું કે તેમની સંવેદનાઓ શોકાકુલ પરિવારોની સાથે છે, તેમણે કહ્યું કે હિંસાના અપરાધિઓને છોડવામાં નહિ આવે. પીએમ મોદી ઉપરાંત મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ નક્સલી હુમલાની નિંદા કરી છે.
|
ફડણવીસે શોક વ્યક્ત કર્યો
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ગઢચિરૌલીમાં નક્સલીઓના કાયરતપૂર્ણ હુમલામાં સી60 બળના અમારા 15 જવાન શહીદ થઈ ગયા. મારી સંવેદનાઓ શોક સંતિપ્ત પરિવારો સાથે છે. હું ડીજીપી અને ગઢિચિરૌલી એસપીના સંપર્કમાં છું. જ્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ નક્સલી હુમલાની આકરી નિંદા કરી અને મહારાષ્ટ્ર પોલીસના જવાનો પર થયેલ હુમલાનો કાયરતાપૂર્ણ ગણાવ્યું. રાજનાથ સિંહે કહ્યું કે શહીદોનું બલિદાન વ્યર્થ નહિ જાય.
|
24 કલાકમાં બીજો નક્સલી હુમલો
મહારાષ્ટ્ર સરકરમાં મંત્રી સુધીર મુનગાંતીવારે આશંકા જાહેર કરી છે કે પોલીસના 15 જવાન અને એક ડ્રાઈવર હુમલાનો શિકાર બન્યા. સી60 પર ઠીક એક વર્ષ બાદ આવા પ્રકારનો હુમલો થયો છે. પાછલા વર્ષે એપ્રિલમાં ગઢચિરૌલીમાં એક મોટા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ 40 નક્સલીઓને ઠાર માર્યા હતા. રાજ્યમાં આ સમયે મહારાષ્ટ્ર દિવસની તૈયારીઓ ચાલી રહી છે, એવામાં 24 કલાકમાં બીજો નક્સલી હુમલો સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કરે છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ







Click it and Unblock the Notifications
