વેંટીલેટર સપોર્ટ પર કોરોના પૉઝિટીવ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, હાલત ગંભીર
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના કોરોના સંક્રમિત થયા બાદથી તેમની તબિયત સતત બગડી રહી છે.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના કોરોના સંક્રમિત થયા બાદથી તેમની તબિયત સતત બગડી રહી છે. મંગળવારે હોસ્પિટલ તરફથી જારી એક હેલ્થ બુલેટીનમાં જણાવવામાં આવ્યુ કે તબિયત વધુ બગડવાના કારણે હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને વેંટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના પૉઝિટીવ પ્રણવ મુખર્જીને સેનાના રિસર્ચ અને રેફરલ(આર એન્ડ આર) હોસ્પિટલમાં સફળ બ્રેઈન સર્જરી કરવામાં આવી પરંતુ સર્જી બાદ પ્રણવ મુખર્જીની હાલત સતત ગંભીર છે જેના કારણે તેમને વેંટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

સંપર્કમાં આવેલા લોકોને પણ કરી ટેસ્ટ કરાવવાની અપીલ
તમને જણાવી દઈએ કે સોમવારે રૂટીન તપાસ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા ત્યારબાદ ડૉક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે ખુદ ટ્વિટ કરીને આની માહિતી આપી હતી. આ ઉપરાંત પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વિટમાં છેલ્લા એક અઠવાડિયામાં તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી. પ્રણવ મુખર્જીએ સોમવારે લખ્યુ હતુ કે હોસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન હું કોરોના પૉઝિટીવ આવ્યો છુ. છેલ્લા એક સપ્તાહમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે કોરોના ટેસ્ટ કરાવી લે, પોતાને આઈસોલેટ પણ કરી લે.
|
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યો ફોન
વળી, આર્મી હોસ્પિટલના અધિકારીઓએ કહ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિના બ્રેઈનમાં એક લોહીનો ગઠ્ઠો હતો જેને ઑપરેશન કરીને હટાવી દેવામાં આવ્યો છે. તેમની સર્જરી સફળ રહી છે. તે હાલમાં વેંટીલેટર પર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીને ફોન કરીને તેમના પિતાની તબિયત વિશે માહિતી લીધી અને જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી.

આ લોકોએ પ્રણવ મુખર્જીના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા અન્ય લોકોએ પ્રણવ મુખર્જીના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી અને કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ, 'સર, કૃપા કરીને ધ્યાન રાખો. અમે તમારા જલ્દી સાજા થવાની અને સારી તબિયત માટે પ્રાર્થના કરીએ છીએ.' વળી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત પૂછવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સેના હોસ્પિટલ ગયા હતા. રાજનાથ સિંહે તેમની તબિયત વિશે માહિતી લીધી. તે લગભગ 20 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
