લાલુ પ્રસાદ યાદવે રાંચીની સીબીઆઈ કોર્ટમાં સરેન્ડર કર્યું
ચારા ઘોટાળા મામલે દોષી જાહેર કરવામાં આવેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઇકોર્ટે જોરદાર ઝાટકો આપતા તેમની પ્રોવિઝનલ જામીન અરજી રદ કરી દેવામાં આવી છે.
ચારા ઘોટાળા મામલે દોષી જાહેર કરવામાં આવેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઇકોર્ટે જોરદાર ઝાટકો આપતા તેમની પ્રોવિઝનલ જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે કોર્ટ ઘ્વારા તેમને 30 ઓગસ્ટ સુધી સરેન્ડર કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. આજે લાલુ પ્રસાદ યાદવે રાંચીની સીબીઆઈ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ત્યાં જ કોર્ટ જતા પહેલા ઝારખંડ વિકાસ મોરચો પ્રમુખ બાબુલાલ મારંડી ઘ્વારા તેમની મુલાકાત કરી અને તેમની તબિયત પૂછી હતી.

કોર્ટ પહોંચેલા લાલુ યાદવે જણાવ્યું કે તેમને ક્યાં રાખવામાં આવશે તેના વિશે કોઈ પરેશાન નથી. તેનો નિર્ણય જજ કરશે કે તેમને ક્યાં રાખવામાં આવે. તેમને જણાવ્યું કે તેઓ કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે. તેમને જ્યાં પણ લઇ જવામાં આવશે ત્યાં તેઓ જશે. આ પહેલા લાલુ પ્રસાદ યાદવનો ઉપચાર મુંબઈની એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલી રહ્યો હતો, જ્યાં થોડા દિવસ પહેલા તેમને ડિસ્ચાર્જ કર્યા હતા.
કોર્ટમાં સરેન્ડર કર્યા પછી સુનાવણી થયી અને તેમના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પહેલા લાલુ પ્રસાદ યાદવને જેલ લઇ જવામાં આવશે, ત્યાંથી તેમને રિમ્સ હોસ્પિટલ લઇ જવામાં આવશે. લાલુ પ્રસાદ યાદવનો મેડિકલ ટેસ્ટ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવશે.
Jharkhand: RJD Chief Lalu Prasad Yadav reaches CBI Court. He had been ordered to surrender today by Ranchi High Court. #FodderScam pic.twitter.com/v2XbU9BBC5
— ANI (@ANI) August 30, 2018
આ પહેલા લાલુ પ્રસાદ યાદવ તરફથી વધુ ત્રણ મહિના માટે પ્રોવિઝનલ જામીન સમયગાળો વધારવા માટે રાંચી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે તેમની અરજી રદ કરી નાખી અને તેમને 30 ઓગસ્ટ સુધી સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો. આપને જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવ ચારા ઘોટાળામાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓ ઉપચાર કરાવવા માટે પેરોલ પર બહાર હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
