કમલા મિલ્સ અગ્નિકાંડનો ખુલાસો, આ કારણે લાગી હતી આગ
કમલા મિલ્સમાં આગ કેવી રીતે લાગી તે ફાયરબ્રિગ્રેડ અને પોલિસની સહયારી તપાસમાં બહાર આવ્યું છે. અવૈદ્ય રીતે ચાલતી અનેક વસ્તુઓએ ભેગી મળીને 14 લોકોના પ્રાણ લીધા છે. જાણો આ અંગે વધુ અહીં
મુંબઇની લોઅર પરેલમાં સ્થિત કમલા મિલ કંપાઉન્ડમાં 29 ડિસેમ્બરે લાગેલી આગની પાછળનું કારણ હવે સામે આવ્યું છે. તપાસ કમિટી મુજબ મોજો બિસ્ટ્રો નામના પબમાં જ સૌ પ્રથમ આગ લાગી હતી. જે આગ ફેલાઇને વન અબવ સુધી ફેલાઇ હતી. આ વાત ફાયર બ્રિગ્રેડના એક રિપોર્ટમાં જાણવા મળી છે. રિપોર્ટ મુજબ મોજો બિસ્ત્રોમાં હુક્કાના કારણે આગ લાગી હતી. અહીં અવૈદ્ય રીતે હુક્કાબાર ચાલી રહ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું કે બળતા કૌલસાને હટાવા જતી વખતે કે પછી તેની આગને વધારવા માટે પંખા કરતી વખતે આગ કોઇ સજાવટના સામન કે પડદાને લાગી ગઇ હતી. તપાસ દરમિયાન પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે હુક્કાને સર્વ કરવાની તૈયારી ચાલી રહી હતી. જે પછી આગ લાગી હતી તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ હોટલમાં દારૂ કે હુક્કા આપવાની છૂટ નહતી આપવામાં આવી. જે પછી અહીં અવૈદ્ય રીતે હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યો હતો. ફાયર બ્રિગ્રેડની રિપોર્ટમાં પણ જણાવ્યું હતું કે બહાર નીકળવાના ગેટની પાસે પણ સામાન ભરવામાં આવ્યો હતો.

જેના કારણે લોકો લિફ્ટના ભરોસે બચીને બહાર આવી શકતા હતા. વધુમાં લિફ્ટ પણ આગના કારણે બગડતા લોકો અટવાઇ પડ્યા હતા. વળી રેસ્ટોરન્ટમાં ખાવા બનાવવા માટે જે આગ માટે જે પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે પણ અવૈદ્ય હતો. સાથે જ અગ્નિશામક યંત્ર પણ બેકાર થઇ ગયા હતા. વળી આગના કારણે મોઝો બિસ્ત્રોના કસ્ટમર જીવ બચાવવા વન અબવમાં ધૂસી ગયા જેના કારણે ગંગુણામણ વધી ગઇ અને લોકો પણ ભરાઇ પડ્યા. પોલીસ તપાસમાં તે પણ બહાર આવ્યું છે કે કમલા મિલ્સ કમ્પાઉન્ડની છત પર ચાલી રહેલા રેસ્ટો ઓપન પબ એમસીડીની પરવાનગી વગર ચલાવવામાં આવી રહ્યું હતું. આ સિવાય ટોયલેટમાં 14 લોકોની મોત થઇ હતી. જે પણ અવૈદ્ય રીતે બનાવ્યું હતું. નોંધનીય છે કે લોરલ પરેલ એક ગુજરાતી વિસ્તાર છે. અને આ ઘટનામાં ધણા ગુજરાતી પરિવારોએ તેમના દિકરા- દિકરી કુમળી વયે ગુમાવ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી અને એક આકસ્મિત કારણોથી લાગેલી આગે 14 જીંદગીઓને હંમેશા માટે ચૂપ કરી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
