'130 કરોડ ભારતીય હિંદુ'વાળા નિવેદન પર RSS પ્રમુખ મોહન ભાગવત સામે FIR
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતના ‘બધા 130 કરોડ ભારતીય હિંદુ છે' વાળા નિવેદન સામે વરિષ્ઠ કોંગ્રેસ નેતા વી. હનુમંત રાવે સોમવારે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતના 'બધા 130 કરોડ ભારતીય હિંદુ છે' વાળા નિવેદન સામે વરિષ્ઠ કોંગ્રેસ નેતા વી. હનુમંત રાવે સોમવારે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સંઘ નેતાએ એવુ કહીને લોકોની ભાવનાઓ ઠેસ પહોંચાડી છે કે બધા 130 કરોડ ભારતીય હિંદુ છે.

રાજ્યસભાના પૂર્વ સભ્ય રાવે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો, ભાગવતના નિવેદનથી માત્ર મુસ્લિમ, ઈસાઈ, સિખ, પારસીઓ વગેરેની ભાવનાઓ અને આસ્થાઓને ઠેસ પહોંચી છે એટલુ જ નહિ પરંતુ આ ભારતીય બંધારણની મૂળ ભાવનાની પણ વિરુદ્ધ છે. વી હનુમંત રાવે કહ્યુ આનાથી જનતા વચ્ચે સાંપ્રદાયિક તણાવ વધશે અને આનાથી હૈદરાબાદમાં કાયદો તેમજ વ્યવસ્થાની સમસ્યા પણ પેદા થઈ શકે છે.
એલબી નગર પોલિસ સ્ટેશનના નિરીક્ષક અશોક રેડ્ડીએ સંપર્ક કરવા પર જણાવ્યુ કે તેમને કોંગ્રેસ નેતા તરફથી એક ફરિયાદ મળી હતી અને આ અંગે કાયદાકીય મંતવ્ય લેવામાં આવી રહ્યુ છે કે આમાં કોઈ કેસ બને છે કે નહિ. તમને જણાવી દઈએ કે ભાગવતે 25 ડિસેમ્બરે અહીં એક જનસભામાં કહ્યુ હતુ કે ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વિના જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ તથા તેના વારસાનુ સમ્માન કરે છે, તે હિંદુ છે અને આરએસએસ દેશના 130 ભારતીય લોકોને હિંદુ માને છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
