Falodi Satta Bajar : આ વખતે દિલ્હીમા મોદી-શાહને મોટો ઝટકો? જાણો શું કહે છે ફલોદી સટ્ટા બજાર?
Falodi Satta Bajar લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને નરેન્દ્ર મોદી-અમિત શાહની લંકા લગાવી દીધી છે. મોદી-શાહની ઘરવાપસીના સંકેતો વચ્ચે હવે દિલ્હીને લઈને ફલોદી સટ્ટા બજારે મોટી આગાહી કરી છે.
દિલ્હીની 7 લોકસભા બેઠકો માટે 25 મે 2024ના રોજ મતદાન થવાનું છે. અહીં AAP અને કોંગ્રેસ ભાજપ સામે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે અહીં 7માંથી 7 બેઠકો જીતી છે.

AAP-કોંગ્રેસ મેદાન મારી શકે છે
ફલોદી સટ્ટા બજારે બીજેપીને ઝટકો આપ્યો છે. અંદાજ છે કે ભાજપ ગત ચૂંટણીની સરખામણીમાં 1 બેઠક ગુમાવી શકે છે. AAP અને કોંગ્રેસના ગઠબંધનને 1 સીટ મળી શકે છે. આ સાથે જ ભાજપને 6 બેઠકો મળવાની ધારણા છે. જો કે AAP-કોંગ્રેસ કઈ સીટ જીતી શકે છે તે જણાવવામાં આવ્યું નથી.
કેજરીવાલે માહોલ બદલ્યો
AAP-કોંગ્રેસને એક સીટ આપવા પાછળનું કારણ AAP ચીફ અરવિંદ કેજરીવાલની મુક્તિ હોવાનું માનવામાં આવે છે. સટ્ટા બજારનું માનવું છે કે કેજરીવાલની મુક્તિને કારણે કાર્યકરોમાં ઉત્સાહ અને મતદારોમાં સહાનુભૂતિ છે.
આ જ કારણ છે કે ગઠબંધનને એક સીટ પર સફળતા મળી શકે છે. જણાવી દઈએ કે કેજરીવાલની રિલીઝ પહેલા ફલોદી સટ્ટા બજાર ગઠબંધનને એક પણ સીટ નહોતી આપી રહ્યા.












Click it and Unblock the Notifications
