Exclusive: ગુમ થઇ ગયો તિરંગો જે 15 ઓગષ્ટ 1947ના રોજ ફરકાવ્યો હતો

તિરંગો શોધવાનો પ્રયત્ન
દેશના પ્રથમ સ્વતંત્રતા દિવસ પર ફરકાવવામાં આવેલો તિરંગ કેવી સ્થિતીમાં છે, તે જાણવા માટે અને સંસ્દ ભવનની મુલાકાત કરી. અમે તેને શોધવા માટે પ્રયત્ન કર્યા, પરંતુ નિરાશા હાથ લાગી. અમે સૌથી પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં ખંગાળવાનું શરૂ કર્યું. જ્યાં ગોડાઉનમાં ઐતિહાસિક ધરોહરની અનેક વસ્તુઓ પડી છે. પરંતુ રાષ્ટ્રપતિના કેટલાક સમય પહેલાં મીડિયા પ્રભારી રહેલા વેણુ રાજમણિએ સ્પષ્ટ કરી દિધું કે તેમણે તે તિરંગાની કોઇ જાણકારી નથી તે અહીં છે.
રાષ્ટ્રીય સંગ્રહાલય
હતાશ થયા વિના અમે રાષ્ટ્રીય સંગ્રહાલય નિકળી પડ્યાં. ત્યાં અમને થોડી આશાની કિરણ જોવા મળી. અમને અહીંયા કહેવામાં આવ્યું કે અહીં કેટલાક ઐતિહાસિક અવસરો પર લહેરાવવામાં આવેલા તિરંગા છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે તિરંગા તો ઘણા રાખ્યા છે પરંતુ તે તિરંગો નથી જેને જવાહરલાલ નહેરૂએ ફરકાવ્યો હતો.
કર્મચારીએ એક જુનો તિરંગો નિકાળ્યો તો ખબર પડી કે તે એ તિરંગો છે જેને 1946માં મુંબઇમાં થયેલ ઐતિહાસ નેવલ મ્યુટની દરમિયાન ભારતીય જવાનોએ ફરકાવ્યો હતો.
દિલ્હી યૂનિવર્સિટીના ઇતિહાસ વિભાગ સાથે સંકાળેયાલા ડૉ. અનિરૂદ્ધ દેશપાંડે કહે છે કે નેવલ મ્યુટનીથી અંગ્રેજ સરકાર હલી ગઇ હતી. કહેવામાં તો એમપણ આવે છે કે ત્યારબાદ બ્રિટીશ સરકારને સમજણ પડી ગઇ હતી કે હવે ભારત પર વધુ રાજ કરવું શક્ય નથી. તે સૈન્ય વિદ્રોણમાં સામેલ સૈનિકોની પાસે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના ઝંડા હતા. સ્પષ્ટ છે કે અહીંયા કોંગ્રેસનો જ ઝંડો હશે.
સીપીડબ્લ્યૂડી પણ સંભાળી ન શક્યું
ત્યારબાદ અને કુષક રોડની સીપીડબ્લ્યૂ ઓફિસ પર પ્રયાણ કર્યું. લાલ કિલ્લા પર થનાર 15 ઓગષ્ટ સમારોહની તૈયારીમાં તેની પણ ભૂમિકા રહે છે. પરંતુ અહીંયા પણ અમને એક અધિકારીએ જણાવ્યું કે તેમને તે તિરંગોનો અહીં હોવાની કોઇ જાણકારી નથી, જેને જવાહરલાલ નહેરૂએ 15 ઓગષ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પરથી ફરકાવ્યો હતો.
અંતિમ આશા પર પણ ફરી વળ્યું પાણી
અમારી અંતિમ આશા રાષ્ટ્રીય સંગ્રહાલય હતી. પરંતુ અફસોસ અહીંયા પણ વાત બની નહી. અહીંયાની સૂચના અને સ્વાગત અધિકારી મમતા મિશ્રએ કહ્યું કે અમારી પાસે માનવ સભ્યતાના અવશેષ, મૌર્યકાલીન, ગાંધાર, ગુપ્ત તથા અન્ય રાજવંશોના સમયના ભીંતચિત્રો, તામપત્ર અને દુર્લભ કલાકૃતિઓ તો છે, પરંતુ કોઇ તિરંગો નથી. તો પ્રશ્ન ઉદભવે છે કે ક્યાં ગયો તે તારીખી તિરંગો?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
