વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનુ કામ આજથી શરૂ, તૈયાર કરાયા ક્વૉરંટીન સેન્ટર
કોરોના વાયરસના ફેલાવ અને લૉકડાઉન લાગુ થયા બાદ વિદેશમં ફસાયેલા ભારતીય નાગરિકોના વતન વાપસીની પ્રક્રિયા આજથી(7 મે) તબક્કાવાર રીતે શરૂ થઈ રહી છે.
કોરોના વાયરસના ફેલાવ અને લૉકડાઉન લાગુ થયા બાદ વિદેશમં ફસાયેલા ભારતીય નાગરિકોના વતન વાપસીની પ્રક્રિયા આજથી(7 મે) તબક્કાવાર રીતે શરૂ થઈ રહી છે. સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે લોકો વિદેશથી પાછા આવશે તેમને નિયમ અનુસાર ક્વૉરંટીનની પ્રક્રિયા પૂરી કરવી પડશે. ક્વૉરંટીન સેન્ટર એરફોર્સ, આર્મી અને નેવીએ તૈયાર કર્યા છે. ક્વૉરંટીન પૂરુ થયા બાદ આ લોકો પોતાના ઘરો માટે આગળની યાત્રા કરી શકશે.

સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે સઉદી અરબ, કુવૈત, સંયુક્ત અરબ અમીરાત, બહેરીન અને મલેશિયામાં ફસાયેલા લોકો માટે સેના, વાયુસેના અને નૌકાદળે જોધપુર, જેસલમેર, ભોપાલ, કોચ્ચિ, વિશાખાપટ્ટનમ અને ચેન્નઈમાં ક્વૉરંટીન સેન્ટર બનાવ્યા છે જ્યાં આ લોકોને રાખવાાં આવે. નૌકાદળ સૈનિક જહાજોમાં પણ વિદેશમાં ફસાયેલા લોકોને લાવવામાં આવી રહ્યા છે. આ અંગે સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર બળોએ ઘણા દેશો માટે ચિકિત્સા ટીમો અને સહાયતા આપૂર્તિ સાથે નૌકાદળના જહાજોને મોકલ્યા છે. વાપસીમાં આ જહાજોમાં ત્યાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવશે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે માત્ર એ લોકોને પાછા આવવાની અનુમતિ આપવામાં આવશે જેમાં કોવિડ-19ના લક્ષણ નથી. ઉડાન પહેલા યાત્રીઓની મેડીકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે ભારતીયોમાં ખાંસી, તાવ કે શરદીના લક્ષણો મળશે તેમને યાત્રાની અનુમતિ આપવામાં આવશે નહિ. વિમાન અને યુદ્ધપોતથી યાત્રાની વ્યવસ્થા કરવામાં આવશે અને આનો ખર્ચ યાત્રીઓએ ઉઠાવવો પડશે.
મંત્રાલયે કહ્યુ કે ભારત આવ્યા બાદ બધા યાત્રીઓની ચિકિત્સા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને 14 દિવસ માટે ક્વૉરંટીન સેન્ટરમાં રાખવામાં આવશે. ભારતીય દૂતાવાસ અને ઉચ્ચાયોગ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની એક યાદી તૈયાર કરી રહ્યુ છે. આ સુવિધા ચૂકવણીના આધાર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય નાગરિક વિદેશમાં ફસાયેલા છે. જેમને વિશેષ વિમાનોથી પાછા લાવવામાં આવી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
