ઈંસેફિલાઈટિસથી બાળકોના મોત કેસમાં કેન્દ્રીય મંત્રી, ‘લીચી ખાવાથી થયા મોત'
માહિતી અનુસાર અત્યાર સુધી એક્યુટ ઈંસેફિલાઈટિસ સિંડ્રોમથી 60 બાળકોના મોત થઈ ચૂક્યા છે. આ કેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેનું કહેવુ છે કે બાળકોના મોત ભૂખ્યા પેટે લીચી ખાવાથી થઈ રહ્યા છે.
બિહારના મુઝફ્ફરપુરમાં મગજનો તાવ એટલે કે ઈંસેફિલાઈટિસથી મરનાર બાળકોની સંખ્યા સતત વધી રહી છે. માહિતી અનુસાર અત્યાર સુધી એક્યુટ ઈંસેફિલાઈટિસ સિંડ્રોમથી 60 બાળકોના મોત થઈ ચૂક્યા છે. પરંતુ આ કેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેનું કહેવુ છે કે બાળકોના મોત ભૂખ્યા પેટે લીચી ખાવાથી થઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે આ મોતની પાછળ ઘણા કારણો છે. જેમાંથી એક કારણ એ પણ છે કે ખાલી પેટે બાળકો લીચી ખઈ લે છે જેના કારણે તેમને ઈંસેફિલાઈટિસ થઈ રહ્યુ છે.

શુગર લેવલ ઘટે છે
ચૌબેએ કહ્યુ કે લીચીમાં જે બીજ હોય છે તે શુગર લેવલ ઘટાડે છે જેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર ઈંસેફિલાઈટિસ માટે સંપૂર્ણપણે એલર્ટ છે. મુઝફ્ફરપુરમાં દર્દીઓ માટે બેડ, એમ્બ્યુલન્સ અને આઈસીયુની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જે પણ વસ્તુની જરૂર હશે સરકાર તે પૂરી પાડવા માટે તૈયાર છે. 2014માં પણ ઈંસેફિલાઈટિસને ઘટાડવા ટે સરકારે કામ કર્યુ હતુ ત્યારબાદ આમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ડૉક્ટરનું શું કહેવુ છે
આ પહેલા શ્રી કૃષ્ણ મેડીકલ કોલેજના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર એસ કે શાહીએ જણાવ્યુ કે આ કેસમાં રિસર્ચની જરૂરિયાત છે પરંતુ 90 ટકા બાળકોના મોત હાઈપોગ્લીસેમિયાના કારણે થયા છે. પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલના મોટાભાગના વૉર્ડ બાળકોથી ભરેલા છે. આ બાળકો મોટાભાગે ગ્રામીણ વિસ્તારોના છે. તમને જણાવી દઈએ કે મુઝફ્ફરપુરમાં ગરમીની મોસમમાં મોટાભાગના બાળકો જેમની ઉંમર 15 વર્ષથી ઓછી હોય તેમને મગજના તાવની ફરિયાદ જોવા મળે છે.

લક્ષણ
તમને જણાવી દઈએ કે મગજના તાવ હેઠળ દર્દીને તાવ આવે છે અને તેની માનસિક સ્થિતિમાં સતત ફેરફાર જોવા મળે છે. તે ભ્રમની અવસ્થામાં રહે છે. શરદીની પણ ફરિયાદ જોવા મળે છે. જે રીતે મુઝફ્ફરપુરમાં મગજના તાવના કેસ સામે આવ્યા છે ત્યારબાદ પ્રશાસનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગયા વર્ષ મગજના તાવથી મરનાર દર્દીઓની તુલના કરીએ તો તે વધી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે એવુ લાગે છે કે લોકોમાં આના માટે જાગૃતિ નથી કે આ બિમારી સામે કેવી રીતે લ઼ડવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
