સરકારે NIT અને IITમાં પ્રવેશની પ્રક્રિયામાં કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારે એનઆઈટી (નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી) અને કેન્દ્રની સહાયતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કર્યા છે.
કેન્દ્ર સરકારે એનઆઈટી (નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી) અને કેન્દ્રની સહાયતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય માનવ સંશાધન તેમજ વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે ગુરુવારે સરકાર દ્વારા કરાયેલ ફેરફારોની માહિતી આપી. આ સંસ્થાઓમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન 2020 આપવા માંગવા વિદ્યાર્થીઓને 12માં ધોરણમાં માત્ર પાસ સર્ટિફિકેટની જરૂર પડશે. આમાં તેમના ગુણ જોવામાં આવશે નહિ.

બોર્ડની પરીક્ષામાં લઘુત્તમ 75% ગુણ
કેન્દ્રીય માનવ સંશાધન તેમજ વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે ટ્વિટ કર્યુ છે કે એનઆઈટી અને અન્ય કેન્દ્રીય રીતે સહાયતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન્સને ઉતીર્ણ કરવા ઉપરાંત યોગ્યતા બારમાં બોર્ડની પરીક્ષામાં લઘુત્તમ 75% ગુણ મેળવવાના છે અથવા પોતાની યોગ્યતા પરીક્ષાઓમાં બાકીના 20 ટકા વચ્ચે રેંક રાખવો જરૂરી છે.

પાત્રતા માનદંડમાં ઢીલ આપવાનો નિર્ણય
તેમણે કહ્યુ કે વર્તમાન પરિસ્થિતિઓના કારણે સીએસએબીએ એનઆઈટી અને અન્ય સીએફટીઆઈને પ્રવેશ માટે પાત્રતા માનદંડમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. જેઈઈ મેઈન 2020 યોગ્ય ઉમેદવારોને હવે માત્ર બારમાં ધોરણની પરીક્ષામાં ઉતીર્ણ થવાનુ પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે.

12માંની પરીક્ષાઓ આંશિક રદ કરાઈ હોવાનુ કારણ
17 જુલાઈએ શિક્ષણમંત્રીએ ઘોષણા કરી હતી કે ઘણા બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓને આંશિક રીતે રદ કરવાના કારણે સંયુક્ત પરીક્ષા બોર્ડે આ વખતે આઈઆઈટી જેઈઈ 2020 યોગ્ય ઉમેદવારો માટે પાત્રતા માનદંડમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 12ની પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર આઈઆઈટીમાં પ્રવેશ પરીક્ષા આપવા માટે પાત્ર હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
