દિલ્લી સરકારનો વિજળી સબસિડી પર મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી આમને નહિ મળે આ સુવિધા
દિલ્લીની કેજરીવાલ સરકારે સબસિડીવાળી વિજળીને લઈને મોટો નિર્ણય લીધો છે.
નવી દિલ્લીઃ દિલ્લીની કેજરીવાલ સરકારે સબસિડીવાળી વિજળીને લઈને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે રાજધાનીમાં અત્યારે જે પાવર સબસિડી આપવામાં આવે છે તેમાં 1 ઓક્ટોબર, 2022થી ફેરફાર કરવામાં આવશે. સબસિડી એ જ લોકોને આપવામાં આવશે જે એની માંગ કરશે. તમને જણાવી દઈએ કે કેજરીવાલ સરકાર સત્તામાં આવ્યા બાદથી લોકોને 200 યુનિટ વિજળી તેમજ પાણીનો પુરવઠો મફતમાં આપતી આવી છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્લી સરકારની કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. દિલ્લીમાં ઘણા બધા લોકોને ફ્રીમમાં વિજળી મળે છે. આના માટે દિલ્લી સરકાર સબસિડી આપે છે. ઘણા લોકોએ કહ્યુ કે અમે લોકો સક્ષમ છે, અમને ફ્રી વિજળી નથી જોઈતી. આનો ઉપયોગ તમે વિકાસ માટે કરો. હવે અમે લોકોને પૂછીશુ કે શું તેમને વિજળીની સબસિડી જોઈએ? જો એ કહેશે કે અમે આપીશુ અને જો કહેશે ના જોઈએ તે અમે નહિ આપીએ. ઓક્ટોબરથી દિલ્લીમાં એ જ લોકોને વિજળીની સબસિડી આપવામાં આવશે જે લોકો વિજળીની સબસિડી માંગશે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુ એક ઘોષણા કરીને કહ્યુ કે દિલ્લીની કેબિનેટે સ્ટાર્ટઅપ પૉલિસી પાસ કરી છે જે યુવાનો પોતાનો વેપાર શરુ કરવા માંગતા હોય, દિલ્લી સરકાર તેમની મદદ કરશે. પૈસાની મદદ સાથે-સાથે અન્ય પ્રકારની મદદ પણ દિલ્લી સરકાર કરશે. દિલ્લી સરકાર અઢળક નાણાકીય મદદ પૂરી પાડશે. દિલ્લી સરકારની કોઈ પણ કૉલજમાં ભણતા વિદ્યાર્થી જો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને ભણતા-ભણતા તેણે કોઈ પ્રોડક્ટ બનાવી તો દિલ્લી સરકાર તેને ભણવા માટે 2 વર્ષ સુધીની રજા પણ આપવા માટે તૈયાર છે જેથી તે છાત્ર પોતાનો પૂરો સમય પોતાની પ્રોડ્કટ માટે આપી શકે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદકેજરીવાલે વર્ષ 2019માં ઘોષણા કરી હતી કે રાજધાનીમાં 200 યુનિટ વિજળી ખર્ચ આપનાર ગ્રાહકોને બિલ નહિ આપવુ પડે. જ્યારે એવા ગ્રાહકો કે જે મહિનામાં 201થી 401 યુનિટ સુધી વિજળી ખર્ચ કરશે તેમને બિલ પર 50 ટકા સબસિડી આપવામાં આવશે. પીસી દરમિયાન સીએમે વિજળી વપરાશ પર આવતા ખર્ચનો આંકડો પણ સામે રાખ્યો અને જણાવ્યુ કે સબસિડીથી લોકોને કેટલી રાહત મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
