એકનાથ શિંદે સરકારનો ફ્લોર ટેસ્ટ આજે, શરદ પવારે કહ્યુ - ટૂંક સમયમાં થશે મધ્યવર્તી ચૂંટણી
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ એકનાથ શિંદેએ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ એકનાથ શિંદેએ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે. નવા સ્પીકરની પસંદગી અને ફ્લોર ટેસ્ટ માટે બે દિવસનુ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ છે. રવિવારે ભાજપના રાહુલ નાર્વેકરને વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આજે ગૃહમાં એકનાથ શિંદે સરકારનો ફ્લોર ટેસ્ટ છે. આ દરમિયાન NCP ચીફ શરદ પવારે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે છે કારણ કે એકનાથ શિંદે સરકાર છ મહિનામાં પડી શકે છે.

શરદ પવારે કહ્યુ કે આગામી છ મહિનામાં નવી સરકાર પડી શકે છે તેથી બધાએ ચૂંટણી માટે તૈયાર રહેવુ જોઈએ. શરદ પવાર સાથેની બેઠકમાં હાજરી આપનાર એનસીપીના નેતાએ કહ્યુ કે બેઠકમાં શરદ પવારે કહ્યુ છે કે એકનાથ શિંદેનુ સમર્થન કરી રહેલા ઘણા બળવાખોર ધારાસભ્યો નવી સરકારથી ખુશ નથી. કેબિનેટનુ વિભાજન થયા બાદ તેમનો બળવો સામે આવશે. જે આખરે આ સરકારને નીચે પાડવાનુ કામ કરશે. એટલુ જ નહિ શરદ પવારે કહ્યુ કે નવી સરકાર બનાવવાનો પ્રયોગ નિષ્ફળ જતાં ઘણા બળવાખોર ધારાસભ્યો તેમની મૂળ પાર્ટીમાં પાછા ફરશે. જો આપણા હાથમાં માત્ર 6 મહિના હોય તો આપણે તૈયાર રહેવાની જરૂર છે. વધુમાં વધુ ધારાસભ્યોએ પોતાની વિધાનસભામાં સમય પસાર કરવો જોઈએ.
એકનાથ શિંદેએ ગુરુવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એકનાથ શિંદેની સાથે શિવસેનાના લગભગ 40 ધારાસભ્યોએ મહાવિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. જે બાદ આખરે મહાવિકાસ આઘાડીની સરકાર પડી અને ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ.












Click it and Unblock the Notifications
