50મા CJI બનશે ડીવાય ચંદ્રચૂડ, CJI યૂયૂ લલિતે કરી ભલામણ
ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ ભલિતનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો છે. તેમને 8 નવેમ્બરના રોજ રિટાયર્ડ થવા જઇ રહ્યા છે.
ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ ભલિતનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો છે. તેમને 8 નવેમ્બરના રોજ રિટાયર્ડ થવા જઇ રહ્યા છે. રિટાર્ડ થયા પહેલા તેમણે પોતાના અનુગામિના રૂપમાં ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. જસ્ટિસ ચંદ્રચૂડ હવે 50 CJI બનશે. ચીફ જસ્ટિસ પોતાના અનુગામિના નામની ભલામણનો પત્ર સોંપવા માટે તમામ ન્યાયાધિશોને જજ લાઉન્જમાં એકઠા થવા માટે સુચન કર્યું છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કરી
આ દરમિયાન CJI યૂયૂ લલિત દ્વારા પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામાણ એક પત્ર સોંપવામાં આવ્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નામ આપવામાં આવ્યું છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ યૂયૂ લલિત આ વર્ષે 8 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે કેન્દ્ર સરકાર દ્વારા તેમને 8 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા બાદ તેમના અનુગામીનું નામ આપવા કહ્યું હતું.
તેમણે ઓગસ્ટમાં CJI તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે તેઓ જસ્ટિસ એનવી રમનાની નિવૃતી બાદ તેમના સ્થાને આવ્યા હતા. જસ્ટિસ યૂયૂ લલિતની નિવૃત્તિ પર ડીવાય ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના 50મા જજ બનશે.
ચીફ જસ્ટિસ યૂયૂ લલિતનો કાર્યકાળ 74 દિવસનો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર, 2024 સુધી ચાલુ રહેશે.

2016માં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા હતા
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અગાઉ 1998માં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સેવા આપી હતી. તેમણે 2013માં અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેઓ બોમ્બે હાઈકોર્ટ સાથે પણ જોડાયેલા રહ્યા છે. તેમને 2016માં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
