કઈ બિમારીને કારણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું થયુ નિધન? AIIMSની રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. મનમોહન સિંહે ગુરુવારે 26 ડિસેમ્બરે રાત્રે 9.51 કલાકે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની તબિયત બગડતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
પૂર્વ પીએમ મનમોહન સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. AIIMSએ મનમોહન સિંહના નિધનની પુષ્ટિ કરતું બુલેટિન જારી કર્યું છે. આ ઉપરાંત તેમના મૃત્યુનું કારણ પણ જણાવવામાં આવ્યું છે. AIIMS દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે.
મનમોહન સિંહ વય સંબંધિત બિમારીઓને કારણે સારવાર હેઠળ હતા અને 26 ડિસેમ્બર 2024ના રોજ અચાનક ઘરે બેહોશ થઈ ગયા. તેમની ઘરે સારવાર શરૂ કરવામાં આવી હતી અને રાત્રે 8:06 વાગ્યે નવી દિલ્હીની AIIMSની મેડિકલ ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયા નહોતા.

રાત્રે યાદશક્તિ ગુમાવી દીધી
બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે 26મી ડિસેમ્બરની રાત્રે તેમણે અચાનક યાદશક્તિ ગુમાવી દીધી હતી. મનમોહન સિંહને રાત્રે 9.51 કલાકે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ એવી છે જે વધતી ઉંમર સાથે વધુ સામાન્ય બની જાય છે.
સ્વાસ્થ સંબંધિત સમસ્યા નડે છે
વાસ્તવમાં, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ તેને ઘણીવાર વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વય-સંબંધિત પરિસ્થિતિઓ શરીરમાં થતા શારીરિક ફેરફારોને કારણે ઊભી થાય છે. આવા ફેરફારો વિવિધ તબીબી સમસ્યાઓનું કારણ બની શકે છે અથવા બગડી શકે છે.
ઉંમર વધતા બિમારીઓ વધે છે
વૃદ્ધોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો સામાન્ય છે. હાઈ બ્લડ પ્રેશર, એથરોસ્ક્લેરોસિસ, હૃદયની નિષ્ફળતા અને અનિયમિત હૃદય લય જેવી સ્થિતિઓ સામાન્ય બની રહી છે. જેમ જેમ આપણી વય વધે છે, તેમ, રક્તવાહિનીઓ સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને પ્લેકથી ભરાઈ જાય છે, જેનાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
