ગણતંત્ર દિવસની પરેડનુ ફૂલ રિહર્સલ આજે, દિલ્લીમાં આ રસ્તા બંધ
ગણતંત્ર દિવસની પરેડના રિહર્સલના કારણે રાજધાની દિલ્લીમાં ગુરુવારે વાહન વ્યવહાર પ્રભાવિત રહેશે.
ગણતંત્ર દિવસની પરેડના રિહર્સલના કારણે રાજધાની દિલ્લીમાં ગુરુવારે વાહન વ્યવહાર પ્રભાવિત રહેશે. આ ફૂલ ડ્રેસ રિહર્સલ પરેડ વિજય ચોક પર સવારે 9.50 વાગે શરૂ થશે. પછી રાજપથ, તિલક માર્ગ, બહાદૂર શાહ જફર માર્ગ અને નેતાજી સુભાષ માર્ગ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થશે. 26 જાન્યુઆરીએ પણ પરેડ આ માર્ગો પરથી પસાર થશે. આના માટે એક દિવસ પહેલા જ આ માર્ગો પર ટ્રાફિક વ્યવહાર બંધ કરી દેવામાં આવશે.

મેટ્રો સેવા પણ પ્રભાવિત
ડીએમઆરસી અનુસાર આ દરમિયાન ગુરુવારે મેટ્રો પણ પ્રભાવિત રહેશે. ઉદ્યોગ ભવન અને સેન્ટ્રલ સેક્રેટેરિએટ સ્ટેશનના અમુક ગેટ બંધ રહેશે. જો કે પ્રવેશ અને નિકાસ દ્વારા ખુલ્લા રહેશે. પરંતુ રવિવારે પ્રવેશ અને નિકાસ દ્વારા આ બંને મેટ્રો સ્ટેશન પર સવારે 5.00 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. વળી, લોક કલ્યાણ માર્ગ અને પટેલ ચોક પર રવિવારે સવારે 8.45 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધી ગેટ બંધ રહેશે.
— Delhi Traffic Police (@dtptraffic) 22 January 2020 |
દિલ્લી વાહન વ્યવહાર માટે પોલિસે જારી કરી એડવાઈઝરી
પોલિસે એડવાઈઝરીમા કહ્યુ છે કે રાજપથ પર બુધવારે રાતે 11 વાગ્યાથી રફી માર્ગ, જનપથ, માન સિંહ રોડ પર જ્યાં સુધી રિહર્સલ પૂરુ નહિ થાય ત્યાં સુધી કોઈ પણ ક્રોસ ટ્રાફિકની અનુમતિ આપવામાં નહિ આવે. સી-હેક્સાગનથી ઈન્ડિયા ગેટ સધી ગુરુવારે સવારે 9.15 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે, જ્યાં સુધી રિહર્સલ પરેડ તિલક માર્ગને પાર ન કરી જાય ત્યાં સુધી. બુધવારે સવારે 10 વાગે તિલક માર્ગ, બહાદૂર શાહ જફર માર્ગ અને સુભાષમાર્ગ પર વાહન વ્યવહાર બંને દિશાઓમાં પ્રતિબંધિકત કરી દેવામાં આવ્યો છે. ગણતંત્ર દિવસ પર પણ, રાજપથ પર વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે પરેડ ખતમ થવા સુધી વાહન વ્યવહાર પ્રતિબંધિત રહેશે.
— Delhi Traffic Police (@dtptraffic) 22 January 2020 |
ગુરુવારે અને રવિવારે આ રસ્તા બંધ
દિલ્લી વાહન વ્યવહાર માટે પોલિસે ટ્વિટ કરીને કહ્યુ કે ગણતંત્ર દિવસની પરેડના રિહર્સલના કારણે લુટિયન દિલ્લીમાં વાહન વ્યવહાર પ્રભાવિત રહેશે. 26 જાન્ઉયઆરી સુધી સવારે 8.00 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધી આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે. ગુરુવાર અને રવિવારના રોજ સવારે 7 વાગ્યા બાદ કોઈ પણ ઑટો-રિક્ષા અને ટેક્સીને આ રસ્તામાં પ્રવેશ આપવામાં નહિ આવે - મધર ટેરેસા, ક્રિસેન્ટ, બાબા ખડકસિંહ માર્ગ, અશોકા રોડ, સંસદ માર્ગ, ટૉલસ્ટોય માર્ગ, કસ્તૂરબા ગાંધી માર્ગ, ફિરોજશાહ રોડ, ભગવાન દાસ રોડ, મથુરા રોડ, સુબ્રમણ્યમ ભારતી માર્ગ, હુમાયુ રોડ, એપીજે અબ્દુલ કલામ માર્ગ, તુર્ક માર્ગ, કૌટિલ્ય માર્ગ અને સરદાર પટેલ રોડ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
