DRDOના વડાનું પદ કોન્ટ્રાક્ટ આધારિત ના હોઇ શકે, યુવા વડા લાવીશું : પારિકર
નવી દિલ્હી, 14 જાન્યુઆરી : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ - DRDO)ના વડા અવિનાશ ચંદેરને તેમની કોન્ટ્રાક્ટની અવધિ પૂરી થાય એના 15 મહિના પહેલા જ પદ પરથી મુક્ત કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવા અંગે આજે કેન્દ્રીય રક્ષા પ્રધાન મનોહર પાર્રિકરે સ્પષ્ટતા કરી હતી કે ડીઆરડીઓના વડાને દૂર કરવાનો નિર્ણય અમારો છે. આ હોદ્દા પર કોન્ટ્રાક્ટ બેઝ્ડ નહીં, પરંતુ યુવા વડા લાવવામાં આવશે.
બીજી તરફ ચંદેરે જણાવ્યું છે કે તેમને પદ પરથી દૂર કરવા અંગેની કોઇ જ નોટિસ મળી નથી. સરકાર તરફથી તેમને કોઇ સત્તાવાર જાણ કરવામાં આવી નથી. તેઓ નિયમિત રીતે બુધવારે પોતાના કામ પર આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેમને કોઇ પ્રકારની નોટિસ મળી નથી.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે ડીઆરડીઓના વડા અવિનાશ ચંદેરને દૂર કરી દેવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરીના રોજ ખતમ થઇ રહ્યો છે. તેમને દોઢ વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ અવિનાશ ચંદ્રને દૂર કરવાની મંજુરી આપી દીધી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શેખર બસુ ડીઆરડીઓના નવા ડાયરેક્ટર જનરલ બની શકે છે. જો કે તેમને પણ આ વાતની કોઇ માહિતી નથી. તેમણે જણાવ્યું કે સરકાર તરફથી તેમને જે જવાબદારી સોંપવામાં આવશે, તેનું પાલન કરશે.
મહત્વની બાબત એ છે કે દેશની રક્ષા સંશોધન અને વિકાસના સચિવ ઉપરાંત ડીઆરડીઓના મહાનિર્દેશક અને રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર અવિનાશ ચંદ્રને 64 વર્ષ પૂરા થતા પાછલા વર્ષે 30 નવેમ્બરના રોજ સેવાનિવૃત્ત થયા હતા. ત્યારે તેમની સાથે 31 મે, 2016 એટલે કે 18 મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો.
ચંદ્ર સાથે કોન્ટ્રાક્ટ કર્યા બાદ તેમની પદ પરથી હટાવી લેવાની સરકારના પગલા સામે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ ટિપ્પણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ડીઆરડીઓના નિશ્ચિંતતાવાળા વલણને ચલાવી લેવામાં આવશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
