દેશભરમાં 25 મેથી શરૂ થશે ઘરેલુ ઉડાનો, ઉડ્ડયન મંત્રીએ આપી માહિતી
દેશભરમાં ડોમેસ્ટીક ફ્લાઈટો 25 મેથી શરૂ થઈ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ બુધવારે આ અંગે માહિતી આપી છે.
દેશભરમાં ડોમેસ્ટીક ફ્લાઈટો 25 મેથી શરૂ થઈ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ બુધવારે આ અંગે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં લૉકડાઉન લાગુ થયા બાદ ઉડાનોને પણ બંધ કરી દેવામાં આવી હતી. દોઢ મહિનાથી વધુ સમયથી દેશમાં ફ્લાઈટો બંધ છે. સરકાર લૉકડાઉન વચ્ચે હવે ફ્લાઈટો શરૂ કરવા જઈ રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો હજુ શરૂ નહિ થાય.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ કે દેશમાં 25 મેથી ઘરેલુ ઉડાનો શરૂ થશે. બધા એરપોર્ટ આના માટે તૈયાર રહે. જો કે મુસાફરી માટે અમુક ગાઈડલાઈન્સ ફૉલો કરવી પડશે. પુરીએ કહ્યુ કે મુસાફરો માટે ગાઈડલાઈન મંત્રાલય તરફથી અલગથી જારી કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
