જાણો જનધન યોજના ગરીબી હટાવશે કે વધારશે?
વડાપ્રધાનની જનધન યોજના હેટળ કરોડો બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીઓમાં એવું કહીં રહ્યાં છેકે ગરીબોના બેન્કમાં બચત ખાતા હશે. જે દેશમાં સંતુલિત ભોજન ખાવું કરોડો લોકો માટે સ્વપ્ન સમાન લાગે છે, એ દેશનો ગરીબ વર્ગ બચત ખાતામાં ભુખ્યો રહીને રકમ જમા કરાવશે. જનધન યોજનામાં અનેક ખામીઓ બહાર આવી છે, જે કદાચ ગરીબીને ઓછી ન કરે પરંતુ તેને થોડીક વધારી શકે છે.

25 ટકા ખાતાઓમાં ન્યૂનતમ રકમ
આ અહેવાલ અનુસાર જનધન યોજના હેઠળ કુલ 25 ટકા ખાતા એવા છે, જેમાં અંદાજે 5600 કરોડ સુધીની જ રકમ બતાવવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી જનધન યોજનાના લક્ષ્યને જાન્યુઆરી સુધી ખતમ કરવા માગે છે.
નિર્ધન પરિવારોને મળશે દંડ
સૌથી મોટો ભાર તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાંખવા જઇ રહ્યું છે. આરબીઆઇએ તાજેતરમાં બેન્કોને એ નિર્દેશ આપ્યો છેકે, ખાતામાં ન્યૂનતમ બેલેન્સ અથવા બેલેન્સ હોય નહીં તો ગ્રાહકોને એ અંગે ટૂંકમાં ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવે. આરબીઆઇના નિર્દેશો અનુસાર બેન્ક એવા ગ્રાહકોને સૂચિત કર્યા બાદ પૈસા જમા કરવા અનુરોધ કરશે પરંતુ બાદમાં ખાતમાં જમા પૈસા અને લેણદેણને જોઇને દંડ લગાવશે.

ડેબિટ કાર્ડ કેશ અમાઉન્ટ દર વખતે પર્સમાં રાખવાની જરૂર નહીં રહે. જરૂર પડ્યે શોપિંગ પણ કરી શકાય છે અને એટીએમમાંથી કેશ કાઢી શકાય છે. જનધન યોજના હેઠળ ખલોવવામાં આવેલા ખાતાઓ સાથે પણ ડેબિટ કાર્ડ આપવાની સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ નિર્ધન પરિવારોના ખાતામાં પૈસા જ નહીં હોય તો પછી તે ડેબિટ કાર્ડનું શું કરશે. જાણકારી અનુસાર અંદાજે 39.8 ટકા લોકોને જ આ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
નબળી છે જનધન યોજના
આ ખામીઓ બાદ જન ધન યોજનાની ટીકા કરવામાં આવી રહી છે, કહેવામાં આવી રહ્યું છેકે, જન ધન યોજનાને કોઇપણ પ્રકારની પૂર્વ તૈયારી અને અધ્યયનથી શરૂ કરવામાં આવી છે. તેનો ફાયદો ઓછો અને નુક્સાન વધારે છે. જ્યારે ખાતા ખોલવાની પ્રાથમિકતા નથી પરંતુ રોજગાર અને શિક્ષાના સ્તરને વધારવાની પ્રાથમિકતા હોવી એક સારો વિકલ્પ બની શકતો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
