Dhar Bus Accident : મુસાફરોની બસ નર્મદા નદી ખાબકતા 13 લોકોના મોત, 25થી વધુ તણાયા
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી છે. અકસ્માત સવારે 10.45 કલાકે થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Dhar Bus Accident : મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી છે. અકસ્માત સવારે 10.45 કલાકે થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
બસમાં મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુ લોકો સવાર હતા. નદીમાંથી અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 15 લોકોને બચાવી લેવાયા છે. આવા સમયે, 25 થી 27 લોકો ગુમ હોવાનું કહેવાય છે.

બસ પુલની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે નદીમાં પડી
ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી છે. રોડ તરફથી આવી રહેલા વાહનનેબચાવવા જતા અકસ્માત સર્જાયો હતો.
બસ પુલની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે નદીમાં પડી હતી. આ અકસ્માત ખલઘાટના જૂના પુલ પરથયો હતો.

NDRFની ટીમ પણ રાહત માટે ઘટનાસ્થળે પહોંચી
મળતી માહિતી મુજબ, ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટ સંજય સેતુ પુલ પર સંતુલન બગડવાના કારણે 25 ફૂટ નીચેનદીમાં પડી ગઈ હતી.
ધામનોદ પોલીસ અને ખલતકા પોલીસ ઘટનાસ્થળે મોરચો સંભાળી રહી છે, ડાઇવર્સ બચાવ માટે રોકાયેલા છે.NDRFની ટીમ પણ રાહત માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઈન્દોરના કમિશનર પવન કુમાર શર્માએ ધાર અને ખરગોનના કલેક્ટરનેઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે.
|
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
મધ્ય પ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સવારે ખરગોન-ધાર વચ્ચે સ્થિત ખલઘાટમાં બસ દુર્ઘટનાનું સંજ્ઞાન લીધું છે.
બસ ખાડીમાં પડીહોવાની માહિતી મળતા જ વહીવટી તંત્રને જલ્દી પહોંચવા સૂચના આપવામાં આવી છે.
ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી.મુસાફરો માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
|
મુખ્યમંત્રીએ SDRFને મોકલવા સૂચના આપી છે
જિલ્લા વહીવટી તંત્ર સ્થળ પર છે. મુખ્યમંત્રીએ SDRFને મોકલવા સૂચના આપી છે, આ ઉપરાંત ઘટના સ્થળે જરૂરી સાધનો મોકલવાઅને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ખરગોન, ઈન્દોર જિલ્લા વહીવટીતંત્ર સાથેસતત સંપર્કમાં છે.
|
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શોક વ્યક્ત કર્યો
આવા સમયે, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ધાર જિલ્લાના ખલઘાટમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. સરકાર અને વહીવટીતંત્રનેબચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવા માગ કરી હતી અને લોકોને વહેલી તકે રાહત આપવા જણાવ્યું હતું.

ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડતા પુલ પર અકસ્માત
આ અકસ્માત આગ્રા-મુંબઈ (AB રોડ) હાઈવે પર થયો હતો. આ રોડ ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80કિલોમીટર દૂર છે. જે સંજય સેતુ પુલ પરથી બસ પડી તે બે જિલ્લા ધાર અને ખરગોનની સરહદ પર બનેલો છે. તેનો અડધો ભાગ ખલઘાટ(ધાર)માં અને અડધો ખલટાકા (ખરગોન)માં છે. ખરગોનના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ છે
નદીમાં પડી રહેલી બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની છે, જેને એસટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બસ સવારે પૂણેથી ઈન્દોરજવા રવાના થઈ હતી.
ખાલઘાટમાં અકસ્માત પહેલા બસે 10 મિનિટનો બ્રેક લીધો હતો, ત્યારબાદ બસ ખલઘાટથી નીકળીને 10:45 વાગ્યેનર્મદામાં પડી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, સામેથી રોંગ સાઈડથી આવી રહેલા વાહનને બચાવતા સમયે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત રોકવાનો પ્રયાસ કરતી વખતે બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ પુલની રેલિંગ તોડી નદીમાં પડી હતી. બસમાં 50થીવધુ મુસાફરો સવાર હોવાનું કહેવાય છે.
|
ગૃહમંત્રીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો
દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, ઈન્દોરથી પૂણે જઈ રહેલી મહારાષ્ટ્ર સરકારની એસટી બસધામનોદ નજીક ખલઘાટ ખાતે નર્મદા નદીમાં પડી જવાનો ખૂબ જ દુઃખદ અને દર્દનાક અકસ્માત થયો છે.
તમામ જવાબદાર વહીવટીઅધિકારીઓ અને રાહત, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. અકસ્માતનું કારણજાણવા માટે તપાસ કરવામાં આવી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
