દેવેન્દ્ર ફડણવીસ 1 જુલાઈએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે લઈ શકે છે શપથઃ સૂત્ર
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રમાં ઘેરાયેલા રાજકીય સંકટનો ટૂંક સમયમાં અંત આવી શકે છે.
નવી દિલ્લીઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રમાં ઘેરાયેલા રાજકીય સંકટનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. સૂત્રોનુ માનીએ તો પૂર્વ સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લઈ શકે છે. જો કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં મહા વિકાસ અઘાડી સરકારનો ફ્લોર ટેસ્ટ થવાનો બાકી છે પરંતુ વર્તમાન સરકારના ટકી રહેવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

શિવસેનામાં બળવા પછી પાર્ટીમાં બે જૂથ પડી ગયા છે. શિંદે જૂથ તેની અલગ ઓળખની માંગ કરી રહ્યો છે. સૂત્રોનુ માનીએ તો શિંદે જૂથના ધારાસભ્યો ભાજપને સમર્થન આપી શકે છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. સૂત્રોનુ માનીએ તો મહારાષ્ટ્રમાં પહેલી જુલાઈએ સરકાર બની શકે છે. જેમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનવાની ચર્ચા છે. તો તે જ સમયે કેટલાક સૂત્રો 3જી જુલાઈએ ફડણવીસના શપથ લેવાની વાત કરી રહ્યા છે.
હકીકતમાં, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. ફેસબુક લાઇવ પર પ્રસારિત તેમના રાજીનામાના ભાષણમાં ઠાકરેએ ફરીથી બળવાખોર ધારાસભ્યોને ભાવનાત્મક અપીલ કરી. ઠાકરેએ કહ્યુ કે લોકશાહીમાં સંખ્યા બતાવવા માટે માથાની ગણતરી કરવામાં આવે છે. મને તેમાં રસ નથી. કાલે તેઓ કહેશે કે તેઓએ બાળાસાહેબના પુત્રને નીચુ બતાવી દીધુ. તેમણે બળવાખોર ધારાસભ્યોને કહ્યુ કે જેમણે તેમની 2.5 વર્ષ જૂની સરકારને પતન કરવા માટે એકનાથ શિંદે સાથે હાથ મિલાવ્યા હતા. 'હું હજી પણ તમારી ભાવનાઓનું સન્માન કરુ છુ'. તેમણે કહ્યું તમે કોનાથી નારાજ છો? કોંગ્રેસ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી? સુરત જવા કે બોલવાને બદલે તમારે મારી પાસે માતોશ્રી આવવું જોઈતુ હતુ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
