ફેસ્ટીવલ સિઝનમાં વધુ ભાડુ નહિ વસૂલી શકે એરલાઈન્સ, આકરી બની સરકાર
સંસદની સ્ટેન્ડીંગ કમિટીએ ખાનગી વિમાન કંપનીઓ દ્વારા તહેવારના સમયે ભાડુ વસૂલવા અને મુસાફરો સાથે ખરાબ વ્યવહાર કરવા પર વિમાન કંપનીઓ સામે કડક પગલાં લેવાની ભલામણ કરી છે.
સંસદની સ્ટેન્ડીંગ કમિટીએ ખાનગી વિમાન કંપનીઓ દ્વારા તહેવારના સમયે મુસાફરો પાસેથી ભાડુ વસૂલવા અને મુસાફરો સાથે ખરાબ વ્યવહાર કરવા પર ચિંતા વ્યક્ત કરીને સરકારને વિમાન કંપનીઓ સામે કડક પગલાં લેવાની ભલામણ કરી છે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ સંબંધિત સંસદીય સ્ટેન્ડીંગ કમિટીએ હાલમાં જ સંસદમાં રિપોર્ટ રજૂ કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સરકારના આ પગલાં બાદ વહેલી તકે એર ટિકિટના કેન્સલેશન પર 50 ટકાથી વધુની ફી નહિ લાગે.

અમુક એરલાઈન કંપનીઓ 8-10 ગણુ વધુ વસૂલ કરે છે
સંસદની પરિવહન, પર્યટન તથા સંસ્કૃતિ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડેરેક ઓ'બ્રાયને કહ્યુ છે, તહેવારો દરમિયાન એરલાન કંપનીઓ 8-10 ગણુ વધુ વસૂલે છે. અમારા મંત્રાલય દ્વારા એરલાન કંપનીઓને કડક સંદેશ છે કે આ રીતના ભાડાની અનુમતિ આપવામાં નહિ આવે. ડેરેક ઓ'બ્રાયને કહ્યુ, સમિતિએ ભલામણ કરી છે કે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના 50 ટકાથી વધુ ન હોઈ શકે. આ સાથે તેમણે જણાવ્યુ કે એરલાઈન્સ કંપનીઓને કહેવામાં આવ્યુ છે કે મુસાફરો પાસેથી લેવાયેલ ટેક્સ અને ફ્યુલ ચાર્જ સરચાર્જ પણ તેમને પાછો આપવામાં આવે. તેમણે કહ્યુ કે એરલાઈન્સ તરફથી મુસાફરો પર વધુ બોજ નાખવામાં આવી રહ્યો છે. આ ઘણો વધુ છે.

એર ઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ સૌથી સારુ
ડેરેક ઓ'બ્રાયનની અધ્યક્ષતાવાળી સમિતિએ આ મામલે ખાનગી વિમાન કંપની ઈન્ડિગોની સર્વાધિક ફરિયાદોનો હવાલો આપતા કહ્યુ કે સમિતિએ બધી કંપનીઓને ટિકિટ પ્રણાસી અને યાત્રી સુવિધા સાથે જોડાયેલ વિવરણ રજૂ કરવા માટે પણ કહ્યુ છે. ઈન્ડિગોનું વલણ યાત્રી હિતેચ્છુ નથી. તેમણે ઘણી ફરિયાદો છતાં પ્રતિક્રિયા આપી નથી. ઈન્ડિગોએ 1-2 કિલો વધુ વજન માટે પણ શુલ્ક વસૂલ્યુ છે. તેમણે કહ્યુ કે આ મામલે સાર્વજનિક ક્ષેત્રની વિમાન કંપની એરઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ સૌથી સારુ જોવા મળ્યુ.

પર્યટન મામલે લદ્દાખ ક્ષેત્રની અનદેખી
ડેરેક ઓ'બ્રાયને જણાવ્યુ કે સમિતિએ પર્યટન મામલે જમ્મુ કાશ્મીરમાં પણ હવાઈ મુસાફરોની આ પ્રકારની ફરિયાદો સામે આવી. સમિતિએ પર્યટન મામલે લદ્દાખ ક્ષેત્રની અનદેખી કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ પૂર્વોત્તર રાજ્યોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા પર જોર આપતા કહ્યુ કે સરકાર જો પર્યટન યોજનાઓમાં માત્ર જાહેરાતો પર જ ખર્ચ કરશે તો ઈચ્છિત પરિણામ મેળવી નહિ શકે. જાહેરાત જરૂરી છે પરંતુ માત્ર જાહેરાત પર ખર્ચ કરવો અયોગ્ય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
