અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રદર્શન, દિલ્હી હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ
અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રદર્શન, દિલ્હી હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ
કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાકદિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરેડનું આયોજન કર્યું હતું, જેમાં હિંસાની ઘટના ઘટી હતી. ટ્રૅક્ટર રેલી દરમિયાન ખેડૂતોનાં કેટલાંક ટોળાં રાજધાનીમાં પ્રવેશ્યાં હતાં અને તેને પગલે પોલીસ અને ખેડૂતો વચ્ચે કેટલીય જગ્યાએ ઘર્ષણ સર્જાયું હતું.
ટ્રૅક્ટર પરેડ દરમિયાન દિલ્હીની અલગઅલગ સરહદ પરથી જે પ્રકારની હિંસાની તસવીરો આવી એ ગત 60 દિવસથી ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલનથી એકદમ વિપરીત હતી.
આ ઘટનાને લઈને આવી રહેલી અલગઅલગ પ્રતિક્રિયાઓ વચ્ચે અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે માહિતી આપી છે.
એએનઆઈના જણાવ્યા અનુસાર વૉશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર યોજવામાં આવેલા આ પ્રદર્શનમાં ખાલિસ્તાન સમર્થકોએ કૃષિકાયદાઓનો વિરોધ કર્યો હતો.
https://twitter.com/ANI/status/1354229798306869250
ખેડૂત સંગઠન દ્વારા રેલી સમાપનની જાહેરાત

મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ટ્રૅક્ટર પરેડના સમાપનનું એલાન કરાયું હતું.
સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જારી કરીને ગણતંત્રદિવસના અવસરે આયોજિત પરેડને તાત્કાલિક પ્રભાવથી ખતમ કરવાનું એલાન કર્યું હતું.
સમાચાર એજન્સી ANI મુજબ મોરચાએ પરેડમાં સામેલ થનારા તમામ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ બધા પરત ફરે. સંયુક્ત મોરચાએ એ પણ જણાવ્યું કે આંદોલન જારી રહેશે.
બીજી તરફ 26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ખેડૂતોની ટ્ર્રૅક્ટર પરેડમાં ઠેર ઠેર હિંસાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જેને પગલે હરિયાણામાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવાયું હતું.
બીજી તરફ દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર આલોક કુમારે ખેડૂતોની રેલી દરમિયાન પોલીસકર્મી સાથે હિંસા આચરનાર લોકો પર કડકર કાર્યવાહી કરવાની વાત કરી હતી.
દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે પણ રેલી દરમિયાન થયેલી હિંસા માટે ખેડૂતોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમજ તેમણે માહિતી આપી હતી કે આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
https://twitter.com/ANI/status/1354045441906642944


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
