Delhi Flood Alert: ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યુ યમુનાનુ જળ સ્તર, હેલ્પલાઈન નંબર જારી કરાયા
દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજધાનીમાં સોમવારે યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયુ.
દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજધાનીમાં સોમવારે યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયુ. સોમવારે સાંજે યમુનાનું જળસ્તર, 205.43 મીટર સુધી પહોંચી ગયુ છે જે ખતરાના નિશાનથી વધુ છે. યમુનામાં ખતરાનું નિશાન 205.33 મીટર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે રવિવારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર માટે પૂરની ચેતવણી જારી કરી હતી રવિવારે બપોરે બે વાગે જળ સ્તર 205.12 મીટર પર હતુ. આજે સાંજે ચાર વાગ્યા સુધી યમુનાનુ જળસ્તર 2.06.20 મીટર સુધી પહોંચી શકે છે. તો વળી, યમુનાના ખતરાના નિશાને પહોંચતા પહેલા જ આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે.

હથિની કુંડ બેરેજ
તમને જણાવી દઈએ કે હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવા અને યમુનાનુ જળ સ્તર વધવાથી જાનમાલને નુકશાનનો ખતરો પેદા થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યુ કે હરિયાણાએ રવિવારે થોડા થોડા સમયે પાણી છોડ્યુ. તેમણે જણાવ્યુ કે રવિવારે સાંજે પાંચ વાગ્યે 8 લાખ 14 હજાર ક્યુસેક પાણી હથિની કુંડ બેરેજમાંથી છોડવામાં આવ્યુ હતુ.

યમુના બ્રિજથી પસાર થતી ટ્રેનોને રોકી દેવામાં આવી
પૂરના ખતરાને જોતા લોકો હવે પોતાનો જરૂરી સામાન લઈને ઘર છોડીને જઈ રહ્યા છે. તેમની મદદ માટે સરકારે 2,120 કેમ્પ લગાવ્યા છે. સાથે યમુના બ્રિજથી ગુજરતી ટ્રેનોને રોકી દેવામાં આવી છે. અનુમાન છે કે દિલ્લીમાં આગામી બે દિવસ સ્થિતિ ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે કારણકે આગામી બે દિવસ પાણીનુ વહેણ તેજ થશે.

હેલ્પલાઈન નંબર જારી કરાયા
દિલ્લીના પ્રભાવિત વિસ્તારોમાં 30 બોટ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં મદદ માટે ફોન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની મદદ માટે 011-22421656 અને 011- 21210849 પર કૉલ કરી શકાય છે. જો કે હાલમાં દેશના ઘણા ભાગોમાં સતત થઈ રહેલી મૂસળધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ચોપટ થઈ ગયુ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં ભારે વરસાદના કારણે રવિવાર કુલ 38 લોકોએ જીવ ગુમાવ્યા અને 22 લોકો ગાયબ છે.

હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં પૂરનુ એલર્ટ
દિલ્લી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં પૂરનું એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી 121 લોકોના મોત થઈ ચૂક્યા છે. કર્ણાટકમાં પણ લોકો પૂર સામે લડી રહ્યા છે. અહીં 76 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે. 10 લોકો હજુ પણ ગાયબ છે. હિમાચલ પ્રદેશમાં કુલ 24 લોકોના મોત નીપજ્યા છે જેમાં બે નેપાળના નાગરિક પણ શામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
