કેજરીવાલની ઑફિસમાં CBIની રેડ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઑફિસમાં સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે. સીએમ ઑફિસમાં કાર્યરત એક અધિકારી અંગેના દસ્તાવેજો એકઠા કરવા માટે રેડ પાડવામાં આવી હતી.

કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સીબીઆઇ દ્વારા મારી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ઑફિસ સીલ કરવામાં આવી છે. ઘટનાને પગલે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીને કાયર કહી મનોરોગી જણાવ્યા હતા.
સીબીઆઇનું કહેવું છે કે, સીએમના દસ્તાવેજ ફંફોરવા માટે નહોતી કરવામાં આવી, સીએમ ઑફિસમાં કામ કરતા અધિકારી રાજનેન્દ્ર કુમારની ઑફિસમાં રેડ પાડવામાં આવી હતી. રાજેન્દ્ર કુમાર પર અમુક કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
'આપ'ના પ્રવક્તા આશુતોષની પ્રતિક્રિયા
ભૂતપૂર્વ પત્રકાર અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષે આ ઘટનાને વખોળી કાઢી છે. કહ્યું કે, કોઇ પણ મુખ્યમંત્રીની ઓફિસમાં આવી રીતે રેડ પાડવી એ શર્મનાક છે. આ મામલે મુખ્યમંત્રીને કોઇ માહિતી નહોતી આપવામાં આવી. આ ઘટનાને મોદી દ્વારા કરવામાં આવતી બદલાની રાજનીતિ ગણાવી હતી. ત્યારે આશુતોષે મોદીને સવાલ કર્યો હતો કે "વ્યાપમ જેવા કૌભાંડ થઇ ગયાં, ત્યારે અત્યાર સુધીમાં ક્યારેય શિવરાજ સિંહ ચૌહાણના ઘર કે ઑફિસમાં દરોડા પાડવામાં આવ્યા? લલિતગેટ મામલે વસુંધરા રાજેના ઓફિસને કેમ સીલ ન કરવામાં આવી? જો આ રેડ અધિકારી વિરુદ્ધ હતી તો મુખ્યમંત્રીને જણાવવાની તસ્દી શા માટે ન લેવાઇ?"
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રેલવે દ્વારા દબાણ હટાવતાં ઝૂંપડપટ્ટીમાં રહેતી એક બાળકીનું મોત થયું હતું. જેને પગલે કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી આ બાળકીના મોતનું કારણ કેન્દ્રને ગણાવી હતી. આ ઘટનાનો કેજરીવાલે જોરશોરથી વિરોધ કર્યો હતો.
કેજરીવાલે કરેલાં ટ્વીટ
CBI raids my office
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 When Modi cudn't handle me politically, he resorts to this cowardice
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 Modi is a coward and a psycopath
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 CBI lying. My own office raided. Files of CM office are being looked into. Let Modi say which file he wants?
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 राजेंद्र के बहाने मेरे दफ़्तर की सारी फ़ाइल देखी जा रही हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 I am the only CM who dismissed, on my own, a minister n a senior officer on charges of corruption and handed their cases to CBI(1/2)
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 If CBI had any evidence against Rajender, why didn't they share it wid me? I wud hv acted against him(2/2)
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
