દિલ્હી ચૂંટણી પરિણામ: 48 બેઠકોનો દાવો કરનાર મનોજ તિવારીએ 7 બેઠકો મળતા આપી પ્રતિક્રીયા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ ભાજપને 48 બેઠકોનો દાવો કરનાર દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ હાર સ્વીકારી લીધી છે. મનોજ તિવારીએ ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા હતા. તે જ સમયે, પ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ ભાજપને 48 બેઠકોનો દાવો કરનાર દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ હાર સ્વીકારી લીધી છે. મનોજ તિવારીએ ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા હતા. તે જ સમયે, પાર્ટીના કાર્યકરોને તેમની મહેનત બદલ આભાર માનતા કહ્યું કે, દિલ્હીની જનતાનો આદેશ સિર માથા પર.

મનોજ તિવારીએ ભાજપને 48 બેઠકોનો દાવો કર્યો
8 ફેબ્રુઆરીએ મનોજ તિવારીએ ટ્વીટ કર્યું હતું કે, "મારું આ ટ્વીટ સંભાળીને રાખો, આ બધા એક્ઝિટ પોલ નિષ્ફળ જશે, ભાજપ 48 બેઠકો લાવશે અને સરકાર બનાવશે. કૃપા કરીને અત્યારથી જ ઈવીએમ પર દોષારોપણ ન કરતા.

મનોજ તિવારી થયા ટ્રોલ
મનોજ તિવારીના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે પ્રારંભિક વલણો પછી મનોજ તિવારીએ ફરી એક વખત દાવો કર્યો હતો કે ભાજપ સરકાર બનાવશે. જો કે, તેના તમામ દાવા નિષ્ફળ ગયા છે અને તેણે હવે હાર સ્વીકારી લીધી છે. મનોજ તિવારીએ કહ્યું કે, 'અમે સારૂં પ્રદર્શન કરી શક્યા નહીં, અમે તેનું મૂલ્યાંકન કરીશું. જ્યારે પરિણામો અમારી અપેક્ષાઓ મુજબ ન આવે ત્યારે અમે નિરાશ થઈએ છીએ, પરંતુ હું મારા કાર્યકરોને કહેવા માંગુ છું કે તેઓ નિરાશ ન થવું જોઈએ. 2015ની તુલનામાં અમારી જીતવાની ટકાવારી વધી છે. દિલ્હીના આદેશને સ્વીકારીને મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા. અપેક્ષા રાખવામાં આવે છેકે તે દિલ્હીની જનતાની અપેક્ષાઓ પ્રમાણે ચાલશે.

કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનશે
સત્તાધારી આમ આદમી પાર્ટી ફરી એક વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સત્તામાં પાછી ફરી છે. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આપ 63 બેઠકો પર આગળ છે. ભાજપ 7 બેઠકો પર ઘટાડો થયો છે. તે જ સમયે, કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. અત્યાર સુધીના વલણોથી સ્પષ્ટ છેકે અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: દિલ્લીની જનતાએ ભાજપ અને અમિત શાહને લગાવ્યો કરન્ટઃ અમાનતુલ્લાહ ખાન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
