દિલ્લીની આપ સરકારે IIT Delhiમાં મિની એકેડેમિક બ્લૉક અને એન્જિનિયર બ્લૉકના નિર્માણને આપી મંજૂરી
દિલ્લી સરકારે IIT Delhiમાં એક નવા મિની એકેડેમિક બ્લૉક અને એક નવા એન્જિનિયર બ્લૉકના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
દિલ્લી સરકારે IIT Delhiમાં એક નવા મિની એકેડેમિક બ્લૉક અને એક નવા એન્જિનિયર બ્લૉકના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ એકેડેમિક અને એન્જિનિયર બ્લૉક માટે 157 વૃક્ષોનુ સ્થળાંતર કરવામાં આવશે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ માહિતી આપી છે. IIT દિલ્લીના કેમ્પસમાંથી 157 વૃક્ષો હટાવવાની મંજૂરી એ શરતે આપવામાં આવી છે કે IITના કેમ્પસમાં જ 1,570 વૃક્ષો વાવવામાં આવશે.

IIT દિલ્લીના મિની એકેડેમિક અને એન્જિનિયર બ્લૉક્સનો ઉપયોગ નવી લેબોરેટરી અને રિસર્ચ સાઇટ્સ બનાવવા માટે થવાનો છે. IITએ તેના કેમ્પસમાં જ્યાં આ બ્લૉક્સ બનાવવાનુ નક્કી કર્યુ છે ત્યાં ઘણા વૃક્ષો છે. તે હટાવ્યા બાદ જ તે જગ્યાએ બાંધકામ શરૂ થઈ શકશે. જે બાદ દિલ્લી સરકારે કેમ્પસમાં અન્ય જગ્યાએ વધુ વૃક્ષો વાવવાની શરતે આ જગ્યાએથી વૃક્ષો હટાવવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે માહિતી આપતાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે એક મોટા નિર્ણયમાં અમે IIT દિલ્લીમાં નવા મિની એકેડેમિક બ્લૉક અને નવા એન્જિનિયર બ્લૉકના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રોજેક્ટ માટે 157 વૃક્ષો દૂર કરીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે પરંતુ કેમ્પસની અંદર 1,570 નવા વૃક્ષો વાવવામાં આવશે.
દિલ્લી સરકરાના નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે દિલ્લી સરકારે IITને 157 વૃક્ષોમાંથી 82 વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવાની મંજૂરી આપી છે. જ્યારે 75 વૃક્ષો કાપવાની મંજૂરી છે. આઈઆઈટી માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ અને સંશોધકોના હિતમાં પેચ સાફ કરીને કામને ઝડપી બનાવવા માટે તેમની મંજૂરી આપી હતી. નિવેદનમાં વધુમાં જણાવાયુ છે કે આ મંજૂરી સંસ્થાના હજારો વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરશે અને વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે. આ ટ્રાન્સપ્લાન્ટ પ્રોજેક્ટ સાઇટની અંદર કરવામાં આવશે. દિલ્લી સરકારે કહ્યુ કે 229 વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટેશન અને હટાવવાથી બચાવી લેવામાં આવ્યા છે.
દિલ્લી સરકારે આઈઆઈટીને નિર્દેશ આપ્યો છે કે સરકાર દ્વારા ઓળખાયેલ અને અનુમોદિત કરાયેલ સ્થળ પરના એક પણ વૃક્ષને નુકસાન ન કરે. દિલ્લી સરકારની માર્ગદર્શિકા મુજબ IIT આગામી સાત વર્ષ સુધી વૃક્ષોની જાળવણીની જવાબદારી લેશે. દિલ્લી સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવ મુજબ દિલ્લીની જમીન અને આબોહવાને અનુરૂપ વિવિધ પ્રજાતિઓના વૃક્ષો દૂર કરવા અને ટ્રાન્સપ્લાન્ટેશનના બદલામાં વાવવામાં આવશે. જેમાં લીમડો, અમલતાસ, પીપળો, પીલખાન, ગુલર, બરડ, કેરી અને શીશમ સહિત અન્ય પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
