સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન - હું નેહરુના ઈરાદા પર સવાલ નહીં ઉઠાવું, નીતિ ખરાબ હોય શકે છે, ઈરાદો નહીં
રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારના રોજ કારગિલ વિજય દિવસના અવસર પર જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોની વચ્ચે પહોંચ્યા હતા.
શ્રીનગર, 24 જુલાઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારના રોજ કારગિલ વિજય દિવસના અવસર પર જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોની વચ્ચે પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમને સંબોધતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આજે આપણે દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને યાદ કરી રહ્યા છીએ. આપણી સેનાએ હંમેશા દેશ માટે આ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. 1999 ના યુદ્ધમાં આપણા ઘણા બહાદુર સૈનિકોએ પોતાનો જીવ આપ્યો, હું તેમને સલામ કરું છું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું ચીનને લઈને પંડિત નેહરુની ટીકા નહીં કરું.

ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક છે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 1962માં ચીને લદ્દાખમાં આપણા વિસ્તાર પર કબ્જો જમાવ્યો હતો, તે સમયેપંડિત નેહરુ આપણા દેશના વડાપ્રધાન હતા. હું તેમના ઇરાદા પર પ્રશ્ન નહીં કરું. ઈરાદા સારા હોય શકે છે, પરંતુ આ નીતિઓને લાગુ પડતુંનથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું પણ એક ખાસ રાજકીય પક્ષમાંથી આવું છું, પરંતુ હું ભારતના કોઈપણ વડાપ્રધાનની ટીકા કરવા માંગતોનથી. જોકે, આજનું ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક છે.

પાક અધિકૃત કાશ્મીર ભારતનો એક ભાગ છે
POK પર, રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતની સંસદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પાકઅધિકૃત કાશ્મીર ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. એવું કેવી રીતે બની શકે કે, બાબા અમરનાથ શિવના રૂપમાં અહીં આપણી સાથે છેઅને માતા શારદા શક્તિ સ્વરૂપા એલઓસીની પાર છે.
આપહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કારગિલ દિવસ નિમિત્તે જમ્મુમાં ફરજ દરમિયાનજીવ ગુમાવનારા સુરક્ષા જવાનોના પરિવારજનોને મળ્યા હતા.
|
'દુશ્મનોની યોજના નિષ્ફળ'
આઝાદી બાદથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આ આખો વિસ્તાર 'મેઈન વોર થિયેટર' બનીને રહ્યો છે. આઝાદી પછીથી, આખો વિસ્તારદુશ્મનોની નજર હેઠળ હતો, પરંતુ ભારતીય દળોએ તેમની બહાદુરી અને બલિદાનના પરિણામે દુશ્મનોની યોજનાઓને નિષ્ફળ બનાવી હતી.
ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને જાળવવામાં આપણી સેનાએ આપેલા યોગદાનને ભારત ક્યારેય ભૂલી શકે તેમ નથી અનેદેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ સૈનિકોની યાદમાં હું નમન કરું છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
