મમતાના આરોપોથી સેનાનું મનોબળ ઘટવાનો ખતરો: મનોહર પારિકર
સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે દીદીને પત્ર લખીને સેનાને વિવાદમાં ઘસડવા પર વ્યક્ત કર્યુ પોતાનું દુખ. પરિકરે કહ્યુ કે મમતાના નિવેદન સેનાના મનોબળ ઘટાડનારા છે...
છેલ્લા થોડા દિવસોથી ભારતીય સેનાને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે વિવાદમાં ઘસડ્યુ તેના પર સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે તેમને પત્ર લખ્યો છે. પારિકરે પત્રમાં મમતા બેનર્જીને લખ્યુ છે કે તેમનુ પગલુ સેનાનું મનોબળ ઘટાડનારુ છે.

પારિકરે વ્યક્ત કર્યુ પોતાનું દુખ
પારિકરે પત્રમાં સેનાને વિવાદમાં ઘસડવા પર પોતાનું દુખ વ્યક્ત કર્યુ છે. એક અઠવાડિયા પહેલા સીએમ મમતા બેનર્જીએ ટોલ નાકાઓ પર સેનાની હાજરી પર સવાલો ઉભા કર્યા હતા. મમતાએ સેના પર તખ્તાપલટની કોશિશો જેવા સંગીન આરોપો પણ લગાવ્યા હતા. ત્યારબાદ સેનાને પોતે સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી કે જે સૈનિકો ટોલ નાકા પર હાજર હતા તે માત્ર એક નિયમિત અભ્યાસના ભાગ રુપે હતુ.

સેના પર પૈસા વસૂલવાનો આરોપ
મમતા સરકાર તરફથી સેના પર લોકો પાસેથી પૈસા વસૂલવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આના કારણે સંસદમાં હોબાળો પણ શરુ થયો છે અને સંરક્ષણ પ્રધાને સંસદમાં કહ્યુ કે સેનાને આ રીતે વિવાદમાં ઘસડવાનું ઘણુ દુર્ભાગ્યપૂર્ણ છે. પારિકરે પોતાના પત્રમાં લખ્યુ છે કે, 'તમારા દ્વારા સેનાને આ રીતે વિવાદમાં ઘસડવા પર મને ઘણુ દુખ થયુ છે. જો તમે રાજ્યની એજંસીઓને પૂછ્યુ હોત તો પણ તમને આ અભ્યાસ વિશે જાણકારી મળી જાત.'

ભારતીય સેના સૌથી વધુ અનુશાસિત
પારિકરે પોતાના પત્રમાં આગળ લખ્યુ છે, 'ભારતીય સેના દેશના સૌથી અનુશાસિત સંસ્થાનોમાંની એક છે. તે આપણા દેશની રક્ષા અને સુરક્ષા માટે સમર્પિત છે. દેશને આપણી સેના પર ગર્વ છે. તમારા આરોપો બાદ સેનાનું મનોબળ ઘટવાનો ખતરો વધી ગયો છે. આર્મી ઓથોરિટીઝને તે પત્રોને પુરાવા રુપે આપવા માટે મજબૂર થવુ પડ્યુ જે તેમણે રાજ્યની પોલિસને લખ્યા હતા.

સેનાને પ્રેસ કોંફરંસ બોલાવવી પડી હતી
મમતાના આરોપો બાદ સેનાના ઇસ્ટર્ન કમાંડના ઓફિસર મેજર જનરલ સુનીલ યાદવને પ્રેસ કોંફરંસ કરવી પડી હતી. તેમણે જાણકારી આપી હતી કે ઇસ્ટર્ન કમાંડ દ્વારા દર વર્ષે થતી ડેટા કલેક્શન એક્સરસાઇઝ ચાલી રહી હતી. આ અભ્યાસમાં સ્થાનિક પોલિસ સાથે મળીને દરેક રાજ્યના એંટ્રી પોઇંટ પર લોડ કેરિયર્સની ઉપલબ્ધતા વિશે જાણકારી મેળવવામાં આવી રહી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
