મહારાષ્ટ્રમાં રેપ કરનારને મળશે મોતની સજા, ઉદ્ધવ સરકારે 'શક્તિ કાયદા'ને આપી મંજૂરી
મહારાષ્ટ્રમાં મહિલાઓ અને બાળકો સામે જધન્ય ગુના પર અંકુશ લગાવવા માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કડક કાયદાને મંજૂરી આપી દીધી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહિલાઓ અને બાળકો સામે જધન્ય ગુના પર અંકુશ લગાવવા માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કડક કાયદાને મંજૂરી આપી દીધી છે. હવે રાજ્યમાં બળાત્કાર જેવા જધન્ય ગુના કરનારને મોતની સજા આપવામાં આવશે. રાજ્ય મંત્રીમંડળે બુધવારે એક ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી દીધી જેમાં ગુનેગારો માટે કડક સજાની જોગવાઈ છે જેમાં મૃત્યુદંડ, આજીવન જેલ અને ગુનેગારો માટે દંડ અને ત્વરિત સુનાવણી પણ શામેલ છે.

આ નવા કાયદામાં કરવામાં આવી છે આ જોગવાઈ
મુંબઈમાં 14 ડિસેમ્બરથી ધારાસભ્યોનુ બે દિવસીય શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યુ છે. ગૃહમંત્રી દેશમુખે કહ્યુ કે બિલને 'શક્તિ અધિનિયમ' કહેવામાં આવશે, જે બિલ બંને ગૃહોમાં ચર્ચા અને મંજૂરી માટે આવશે. દેશમુખે કહ્યુ કે મહિલાઓ સાથે સંબંધિત જધન્ય ગુનો કરનાર માટે 15 દિવસની અંદર કેસની તપાસ પૂરી કરવા અને 30 દિવસની અંદર કેસ ચલાવવાની જોગવાઈ છે. તેમણે કહ્યુ કે હાઉસની મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકાર પાસે મંજૂરી અને રાષ્ટ્રપતિના આશ્વાસન માટે મોકલવામાં આવશે. નવા કાયદાની જોગવાઈને ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકો સામેના જધન્ય યૌન ગુનાઓને નિયંત્રિત કરવાનો છે.

ગુનેગારોને આપવામાં આવશે આ સજા
દેશમુખે કહ્યુ કે આ નક્કી સમય-સીમા અને કડક સજાની અંદર તપાસ અને કેસ પૂરો કરવા માટે છે જેમાં મોતની સજા અને ભારે દંડ પણ શામેલ છે. ડ્રાફ્ટ બિલ અનુસાર મહિલાઓ અને બાળકો સામે કેસની તપાસ અને પરીક્ષણ માટે વિશેષ પોલિસ દળ અને અલગ અલગ અદાલતો સ્થાપિત કરવામાં આવશે. ગુનેગારોને જો દોષી જણાયા તો તેમને દસ વર્ષથી નાની ઉંમર માટે આજીવન જેલની સજા આપવામાં આવશે પરંતુ બાકી પ્રાકૃતિક જીવન કે મૃત્યુના કેસમાં વિસ્તાર કરવામાં આવી શકે છે. જે ગુનામાં જધન્ય હોવાના લક્ષણ છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ, પ્લાસ્ટિક સર્જરી અને ચહેરાના પુનનિર્માણ માટે એસિડ એટેક પીડિતાને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે અને દોષી પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.

કેસ નોંધાયાના 15 દિવસની અંદર તપાસ પૂરી કરવામાં આવશે
ગુનો નોંધાયાની તારીખથી 15 કામકાજી દિવસોની અંદર તપાસ પૂરી કરવામાં આવશે. આમ ન કરવાના કારણ સંબંધિત તપાસકર્તા દ્વારા લેખિત રીતે નોંધવામાં આવશે અને આમાં ગુનેગારોની ઓળખ કરવામાં અસમર્થતા શામેલ થઈ શકે છે. પછી તપાસ સમયને સાત કામકાજી દિવસો સુધી વધારવામાં આવશે. ચાર્જશીટ દાખલ થયા બાદ ડ્રાફ્ટ બિલ અનુસાર પરીક્ષણ દિન-પ્રતિદિનના આધારે આયોજિત કરવામાં આવશે અને 30 કામકાજી દિવસોના સમયની અંદર પૂરુ કરવામાં આવશે. અમુક કેસોમાં પીડિતો અને સાક્ષીઓના પુરાવાના રેકોર્ડિંગની કોશિશ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
