દલિતોને 100 વર્ષ પછી આ પ્રાચીન મંદિરમાં મળી એન્ટ્રી, જાણો શું છે સમગ્ર ઈતિહાસ
તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાના દલિતો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો. તેનું કારણ એ હતું કે આ શહેરના ગામડાના એક ઐતિહાસિક મંદિરમાં જ્યાં દલિત સમાજને પ્રવેશ આપવામાં આવતો ન હતો ત્યાં 100 વર્ષ પછી દલિતોએ મંદિરમાં પ્રવેશ કર્યો.
તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાનું ચેલાંગુપ્પમ ગામ જ્યાં દલિતોએ 100 વર્ષ પછી અહીંના પ્રાચીન મરિયમ્માન મંદિરમાં પ્રવેશ કર્યો. બુધવારે અનુસૂચિત જાતિ સમુદાયના 250થી વધુ સભ્યોએ દર્શન કર્યા હતા. જે બાદ તેમના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.

(ફોટો ક્રેડિટ પીટીઆઈ)
તેનું કારણ એ છે કે આ એ મંદિર છે જ્યાં આ દલિતોના પૂર્વજો પણ પ્રવેશ કરી શકતા ન હતા, આ જ મંદિરમાં લાંબી લડાઈ લડ્યા બાદ દલિત સમાજનો વિજય થયો હતો અને તેમને મરિયમ્માન મંદિરના દર્શન કરવાનો મોકો મળ્યો હતો. અનુસૂચિત જાતિ સમુદાયના 250થી વધુ સભ્યોએ પ્રથમ પોલીસ સુરક્ષા હેઠળ મંદિરની મુલાકાત લીધી, ત્યારબાદ વિશેષ સામથુવા પોંગલ સમારંભની ઉજવણી કરી, ત્યારબાદ દલિત સમુદાયે એક ખુશીની ધાર્મિક શોભાયાત્રા કાઢી.
એસપીએ કહ્યું કે અમે કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મંદિરમાં પ્રવેશને લઈને અત્યાર સુધી કોઈ સમસ્યા નથી. એસપી કાર્તિકેયન ઉપરાંત, વેલ્લોર એસપી મણિવન્નન અને રાનીપેટ એસપી કિરણ શ્રુતિ કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે સ્થળ પર હાજર હતા. પોલીસની હાજરીમાં દલિત સમાજના લોકોએ દર્શન કર્યા હતા.
ચેલાંગુપ્પમના અનુસૂચિત જાતિના યુવક દ્વારા તિરુવન્નામલાઈના પોલીસ અધિક્ષક કાર્તિકેયનને ફરિયાદ કરવામાં આવ્યા બાદ આ શક્ય બન્યું. આ તે યુવકો હતા જેમણે મંદિરમાં પ્રવેશ ન દેવાની ફરિયાદ કરી હતી. એસપી કાર્તિકેયને જણાવ્યું કે અહીંના સમુદાયો વચ્ચે ત્રણ શાંતિ મંત્રણા થઈ હતી અને અહીંના ઉચ્ચ જાતિના હિંદુઓએ તેનો સ્વીકાર કર્યો હતો અને દલિતોને મંદિરમાં પ્રવેશવા સામે કોઈ વાંધો નહોતો.
ગામના અનુસૂચિત સભ્યોએ ધ્યાન દોર્યું કે ગામમાં 100 વર્ષથી વધુ જૂનું પ્રાચીન મરિયમન મંદિર બંને સમુદાયો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આંતરિક વિવાદો ઉભા થયા અને ઉચ્ચ જાતિના હિંદુઓએ અનુસૂચિત જાતિના સભ્યો પાસેથી મંદિરમાં પ્રવેશનો અધિકાર છીનવી લીધો.
સમુદાયના એક સભ્યએ જણાવ્યું હતું કે જ્યારે અમે આ મંદિર સાથે મળીને બનાવ્યું હતું, ત્યારે અમુક સમયે, ઉચ્ચ જાતિના હિંદુઓ દ્વારા અમારા પૂર્વજોને પ્રવેશ નકારવામાં આવ્યો હતો. આ પ્રથા ચાલુ રહી અને અમે ક્યારેય આ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ન હતો અને વર્ષો પછી સમુદાયના યુવાનોએ મંદિરના દર્શનના અધિકાર માટે લડત આપી અને અમારા વડવાઓએ બનાવેલા મંદિરમાં પ્રવેશ મેળવ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
