ઈસ્લામ અને ઈસાઈ ધર્મ અપનાવનાર દલિતોને નહિ મળે અનાતમનો લાભ
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે રાજ્યસભામાં કહ્યુ કે ઈસ્લામ અને ઈસાઈ ધર્મ અપનાવનાર દલિતોને અનામતનો લાભ નહિ આપવામાં આવે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપીને કહ્યુ કે ઈસ્લામ અને ઈસાઈ ધર્મ અપનાવનાર દલિતોને અનામતનો લાભ નહિ આપવામાં આવે. આ ઉપરાંત તે અનુસૂચિત જાતિ માટે અનામત સંસદીય કે વિધાનસભા સીટ પર ચૂંટણી નહિ લડી શકે. તમને જણાવી દઈએ કે જી વી એલ નરસિંહા રાવે સરકારને એ પણ સવાલ પૂછ્યો કે શું સરકાર લોક પ્રતિનિધિત્વ કાયદો અને ચૂંટણીના નિયમોમાં કોઈ સુધારા પર વિચાર કરી છે જેમાં એ સ્પષ્ટ રીતે ઉલ્લેખ હોય કે ઈસાઈ કે ઈસ્લામ ધર્મ પરિવર્તન કરનાર દલિત અનામત સીટો પરથી ચૂંટણી લડવા માટે યોગ્ય નહિ હોય.

આના પર રવિશંકર પ્રસાદે જવાબ આપતા કહ્યુ કે હાલમાં આવો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે વિચારાધીન નથી. ભાજપના સભ્ય જી વી એલ નરસિંહા રાવ દ્વારા કરવામાં આવેલ પ્રશ્નનો જવાબ આપીને પ્રસાદે એ સ્પષ્ટ કર્યુ કે સિખ, બૌદ્ધ ધર્મ અપનાવનાર લોકોને અનામતનો લાભ મળતો રહેશે અને તે સંસદની અનામત સીટો પર ચૂંટણી લડવા માટે પણ પાત્ર હશે. પ્રસાદે કહ્યુ કે બંધારણ (અનુસૂચિત જાતિ)ના પેરા 3માં આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ જે હિંદુ, સિખ કે બૌદ્ધ ધર્મથી અલગ ધર્મને માને છે, તેને અનુસૂચિત જાતિનો સભ્ય નહિ માનવામાં આવે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યુ હતુ કે જો એક વાર કોઈ વ્યક્તિ હિંદુ ધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવે તો સામાજિક અને આર્થિક અક્ષમતા વધશે અને માટે હવે એ વ્યક્તિને અનામત આપવી જરૂરી નથી અને આ કારણે તેને અનુસૂચિત જાતિનો માની શકાય નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
