હિંદી-ચીની ભાઇ-ભાઇની નીતિ અપનાવે બંન્ને દેશો:દલાઇ લામા
દિલ્હી કાર્યક્રમમાં પહોંચેલ દલાઇ લામાએ કહ્યું, આ પરિસ્થિતિમાં ભારત અને ચીનનો વિવાદ ઉકેલવાનો એક માત્ર રસ્તો છે હિંદી-ચીની ભાઇ-ભાઇની નીતિ અપનાવવી
બુધવારે દિલ્હી ખાતેના એક કાર્યક્રમમાં તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામાએ કહ્યું હતું કે, હિંદી-ચીની ભાઇ-ભાઇની ભાવનાથી જ ભારત અને ચીન વચ્ચેનો વિવાદ સમાપ્ત થશે. બંન્ને દેશો એકબીજાના પાડોશી છે અને તેમણે આ જ દિશામાં આગળ વધવું જોઇએ. ડોકલામ વિવાદ કોઇ ગંભીર મુદ્દો નથી, આ મુદ્દાને ખોટી રીતે રજૂ કરતાં વાત બગડી શકે છે. વર્તમાન સ્થિતિમાં બંન્ને પાડોશીઓ કડક શબ્દોમાં એકબીજાની વિરુદ્ધ નિવેદનો આપી રહ્યાં છે, પરંતુ ખરેખર તો હિંદી-ચીની ભાઇ-ભાઇ જ આગળ વધવાનો માર્ગ છે.

દલાઇ લામાએ આગળ કહ્યું કે, વર્ષ 1962માં ચીની સૈન્ય બોમડિલા જઇ પહોંચ્યું હતું, પરંતુ ત્યાંથી પરત ફરી ગયું હતું. હાલની પરિસ્થિતિમાં પણ ભારત અને ચીને એ જ દિશામાં આગળ વધવાનું છે, ત્યારે જ આ વિવાદ શમશે.
ડોકલામ વિવાદ
ઉલ્લેખનીય છે કે, ડોકલામના મુદ્દે ભારત અને ચીનના સૈન્યા છેલ્લા બે મહિનાથી આમને-સામને છે. સિક્કિમ સેક્ટરમાં ભૂટાન ટ્રાઇજંક્શન પાસે ચીન એક મોટો રોડ બનાવવા માંગે છે અને ભારત આનો વિરોધ કરી રહ્યું છે. ચીને ભારતને આ વિસ્તારમાંથી પોતાનું સૈન્ય પાછું બોલાવી લેવા કહ્યું હતું, ભારતે આ વાત નકારતાં બંન્ને દેશો વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે.
મળ્યા હતા ચીનના હથિયારો
આ મુદ્દે વધુ એક ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે, સોમવારે કાશ્મીરના માછિલ સેક્ટરમાં સેના દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે સેના દ્વારા બુધવારે જાણકારી આપવામાં હતી. જે અનુસાર, ગીચ ઝાડવાઓનો ફાયદો ઉઠાવીને 5 આતંકવાદીઓએ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી સેના દ્વારા સોમવારે તપાસ આભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 આતંકીઓ ઠાર મરાયા હતા. આ આતંકીઓ પાસેથી ચીનમાં બનેલ હથિયારો મળી આવ્યા હતા. સાથે જ તેમની પાસેથી પાકિસ્તાનની દવાઓ અને અનાજ પણ મળી આવ્યું હતું.
ચીન માટે દલાઇ લામા દુશ્મન
આવી પરિસ્થિતિમાં દલાઇ લામાએ સૂચવેલ હિંદી-ચીની ભાઇ-ભાઇની નીતિ પર આગળ વધવું થોડું મુશ્કેલ છે. નોંધનીય છે કે, વર્ષ 1959ના વિદ્રોહ દરમિયાન દલાઇ લામા તિબેટથી ભાગી નીકળ્યા હતા અને ત્યારથી તેઓ ભારતમાં જ રહી રહ્યાં છે. ચીનની સરકાર દલાઇ લામાને પોતાના દુશ્મન માને છે અને તે ભારતની દલાઇ લામાને આશરો આપવાની નીતિ સામે પણ નારાજ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
