કેરળની મહિલામાં મળી આવેલા કોવિડ-19ના સબ વેરિઅંટ JN.1એ વધારી ચિંતા, WHOએ આપી ચેતવણી
Omicron Subvariant JN.1 in Kerala: કોવિડ-19ના સબવેરિયન્ટ, JN.1નો એક કેસ કેરળમાં મળી આવ્યો છે. ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા ચાલુ નિયમિત દેખરેખ દ્વારા આ બહાર આવ્યું છે. આ માહિતી ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે આપી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર આરોગ્ય અને હૉસ્પિટલ સજ્જતાના પગલાંનું મૂલ્યાંકન કરવા માટેની નિયમિત કવાયતના ભાગરૂપે રાજ્યોમાં તમામ આરોગ્ય સુવિધાઓમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યના આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 79 વર્ષની મહિલાના સેમ્પલનો RT-PCR ટેસ્ટ 18 નવેમ્બરે કરવામાં આવ્યો હતો. જેમાં પરિણામ પોઝીટીવ જણાયું હતું. મહિલામાં રોગના લક્ષણો જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે આ પહેલા તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના રહેવાસી યુવકમાં પણ JN.1 સબ-વેરિઅન્ટના લક્ષણો જોવા મળ્યા હતા. યુવક સિંગાપોર ગયો હતો.
કેરળના આરોગ્ય મંત્રીએ શું કહ્યુ
ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે કહ્યું કે આ કેસ 8 ડિસેમ્બરે દક્ષિણ રાજ્યના તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાંથી RT-PCR પોઝિટિવ સેમ્પલમાં મળી આવ્યો હતો. સેમ્પલ 18 નવેમ્બરે RT-PCR પોઝિટિવ હોવાનું જણાયું હતું. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI)ના હળવા લક્ષણો હતા અને હવે તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે.
કેરળના આરોગ્યમંત્રી વીણા જ્યૉર્જે રવિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં જોવા મળેલ COVID-19 સબ-વેરિયન્ટ JN.1 ચિંતાનું કારણ નથી. આ એક સબ-વેરિઅન્ટ છે. મહિનાઓ પહેલા સિંગાપોર એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરાયેલા ભારતીય પ્રવાસીઓમાં સબ-વેરિઅન્ટ જોવા મળ્યું હતું. માત્ર એટલું જ કે કેરળે અહીં જીનોમ સિક્વન્સિંગ ઓળખ કરી હતી. ચિંતા કરવાની જરૂર છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. જો કે રાજ્યના આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે લોકોને અન્ય ગંભીર બીમારીઓ છે તેમણે વધુ સાવચેત રહેવું જોઈએ.
INSACOG શું છે?
ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) એ જીનોમિક પ્રયોગશાળાઓનું નેટવર્ક છે જે ભારતમાં કોવિડ-19 નું જીનોમિક પરિપ્રેક્ષ્યથી નિરીક્ષણ કરે છે. ICMR આ કન્સોર્ટિયમનો એક ભાગ છે. COVID-19 ને લગતી સુધારેલી સર્વેલન્સ માર્ગદર્શિકા મુજબ, ILI અને SARI દર્દીઓની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવે છે. સકારાત્મક કેસો સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ (WGS) માટે મોકલવામાં આવે છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેરળ રાજ્યમાં કોવિડ-19ના કેસોમાં વધારો થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરીક્ષણ માટે મોકલવામાં આવતા ILI કેસના સેમ્પલની સંખ્યામાં વધારો થવાને કારણે આવું થયું છે. આમાંના મોટાભાગના કેસો તબીબી રીતે હળવા હોય છે અને કોઈપણ સારવાર વિના ઘરે જ ઉકેલાઈ જાય છે.
JN.1 શું છે?
આ વાયરસ SARS-CoV-2ના ઓમિક્રૉન સબવેરિયન્ટ BA.2.86નો એક નવો પ્રકાર છે. તેના સ્પાઇક પ્રોટીન પર વધારાનું પરિવર્તન થાય છે. વેરિઅન્ટમાં ઝડપથી ફેલાવાની અને રોગપ્રતિકારક શક્તિથી બચવાની ક્ષમતા છે, જે ભારતમાં વિકસતી પરિસ્થિતિના પ્રતિભાવમાં સતત દેખરેખ અને સાવધાની રાખવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.
JN.1ના લક્ષણો
કોવિડ-19ના લક્ષણો તમામ પ્રકારોમાં સુસંગત રહે છે. અમેરિકન આરોગ્ય એજન્સી સીડીસીના સૂચન મુજબ, JN.1 કોરોના વાયરસ વેરિઅન્ટ અન્ય વિવિધતાઓની તુલનામાં અલગ લક્ષણો પેદા કરી પણ શકે અને ના પણ કરી શકે.JN.1ના સૂચિત લક્ષણોમાં તાવ, નાક વહેવુ, ગળામાં ખારાશ, માથામાં દુખાવો અને હળવા ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ લક્ષણોનો સમાવેશ થાય છે.
સીડીસીએ ચેતવણી આપી છે કે આ વેરિઅન્ટ કોરોના વાયરસના અગાઉના પ્રકારોથી અલગ લક્ષણો દર્શાવે છે કે કેમ તે અંગેની માહિતીનો તેની પાસે અભાવ છે. એજન્સીએ ચેતવણી આપી છે કે JN.1 રોગપ્રતિકારક શક્તિથી બચવાની ઉચ્ચ ક્ષમતા દર્શાવે છે, જે વધેલી ટ્રાન્સમિસિબિલિટી અંગે ચિંતાઓને વધારે છે.
ચીને સબવેરિયન્ટ JN.1ના કારણે થતા કોવિડના સાત કેસની ઓળખ કરી છે જેમાં વધારાના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન છે. સપ્ટેમ્બર 2023માં યુએસમાં શોધાયેલ, JN.1 અત્યાર સુધી 11 અન્ય દેશોમાં સામે આવ્યો છે. સીડીસી સૂચવે છે કે વર્તમાન માહિતીના આધારે તેના વ્યાપક ફેલાવાની આગાહી કરવી ખૂબ જ ઉતાવળ ગણાશે, ચાલુ દેખરેખની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં રવિવારે 335 નવા COVID-19 કેસ નોંધાયા છે જ્યારે સક્રિય કેસોની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે. આરોગ્ય અધિકારીઓએ તકેદારીના મહત્વ પર ભાર મૂક્યો છે, હાથની સ્વચ્છતા, લેટેસ્ટ રસીકરણ જેવા નિવારક પગલાંની હિમાયત કરી છે અને કોઈપણ ચિંતાજનક લક્ષણો માટે તાત્કાલિક તબીબી સહાય લેવા કહ્યુ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાંથી 4 દર્દી કેરળના અને એક ઉત્તર પ્રદેશનો હતો. કેરળમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1ના કેસ નોંધાયા છે.
દેશમાં કુલ કોવિડ કેસલોડ 4.50 કરોડ હતો. સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.46 કરોડ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા હોવાનો અંદાજ છે. જ્યારે કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 5,33,316 લોકોના મોત થયા છે અને આ કેસમાં મૃત્યુદર 1.19 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
