'વેક્સીનનો ડોઝ કેટલો, કેટલી કિંમત, કોને મળશે?' બધા સવાલોના જવાબ AIIMS ચીફે આપ્યા
કોરોના વેક્સીનના ડોઝથી લઈને ચૂકવણી સુધીના સવાલ તમારા મનમાં હશે. તો જાણો તેના જવાબ..
Coronavirus Vaccine In India Update: કોરોના વેક્સીન માટે આજે(2 જાન્યુઆરી)થી ભારતના દરેક રાજ્યમાં ડ્રાઈ રનની શરૂઆત થઈ ગઈ છે. એવામાં કોરોના વેક્સીનના ડોઝથી લઈને ચૂકવણી સુધીના સવાલ તમારા મનમાં હશે. આ બધા સવાલોના જવાબ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ(AIIMS)ના પ્રમુખ (નિર્દેશક) ડૉ. રણદીપ ગુલેરિયાએ આપ્યા છે. ન્યૂઝ ચેનલ NDTV સાથે વાત કરીને રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે અત્યારે કોરોના વેક્સીનની કિંમત વહન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. હવે સવાલ એ ઉઠે છે કે વેક્સીન સૌથી પહેલા કોને-કોને આપવામાં આવશે. આના જવાબમાં ગુલેરિયાએ કહ્યુ કે દેશભરમાં અત્યારે ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકોની ઓળખનુ કામ ચાલી રહ્યુ છે, જેમને અત્યારે પ્રાથમિકતાવાળી સૂચિમાં રાખવામાં આવ્યા છે. તેમને પણ આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કરો બાદ કોવિડ-19ની વેક્સીન આપવામાં આવશે.

વેક્સીન કોને આપવામાં આવશે?
ડૉ. ગુલેરિયાએ કહ્યુ છે કે હાલમાં પહલા તબક્કામાં 30 કરોડ લોકોને વેક્સીન આપવાની છે. ડૉ. ગુલેરિયાએ કહ્યુ, 'હું એક સમિતિની અધ્યક્ષતા કરી રહ્યો છુ.. અમે માનદંડ વિકસિત કર્યા છે, ભલે તે ડાયાબિટીસ હોય, જૂની કિડનીની બિમારી હોય, જૂની શ્વસન સંબંધી બિમારી હોય અને એ જવા માટે કે અમે કેવી રીતે કામરેડિટીવાળા લોકોની વચ્ચે પણ પ્રાથમિકતા બનાવી શકીએ છીએ, તેના પર કામ ચાલી રહ્યુ છે કારણકે તેમને પણ કોવિડ-19ની વેક્સીન આપવાની છે.' ડૉ. ગુલેરિયાએ કહ્યુ, 'ઉદાહરણ તરીકે આને એ રીતે સમજો કે એવા વ્યક્તિ જેને ડાયાબિટીઝ નિયંત્રણમાં છે અને બીજા એવા વ્યક્તિ જે છેલ્લા દસ વર્ષથી ઈન્સ્યુલીન લઈ રહ્યા છે, એવામાં વધુ ગંભીર ડાયાબિટીસવાળા વ્યક્તિને બીજાની સરખામણીમાં વેક્સીન આપવાની પ્રાથમિકતામાં ઉપર રાખવામાં આવશે.'
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
વેક્સીનની કિંમત અને ચૂકવણી?
ડૉ. ગુલેરિયાએ વેક્સીનની કિંમત અને ચૂકવણી વિશે કહ્યુ, 'હાલમાં વર્તમાન સમયમાં વેક્સીનની કિંમતનુ વહન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છ. દરેક વ્યક્તિને ડોઝની જરૂરિયાત મુજબ તેને ડોઝ આપવામાં આવશે.' તેમણે એ પણ કહ્યુ કે એવુ જરૂરી નથી કે બે ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ છે. વાસ્તવમાં બ્રિટનમાં પહેલા અને બીજા ડોઝ વચ્ચે 28 દિવસથી 12 સપ્તાહનુ અંતર છે માટે ભારતમાં પણ એ સવાલ ઉઠી રહ્યા હતા. ડૉ. ગુલેરિયાએ કહ્યુ કે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા દ્વારા નિર્મિત ઑક્સફૉર્ડ કોવિડ-19 વેક્સીનને સરકારના વિશેષજ્ઞોની પેનલ દ્વારા નિયામક ડ્રગ્ઝ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા(DCGI)ને મંજૂરી માટે મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
